દેશ

દેશમાં આજે કોરોનાના કેસમાં થયો રેકોર્ડ ઘટાડો, જાણો કેટલા નોંધાયા કોરોના કેસ?

દેશમાં અત્યારે કોરોનાવાયરસ રોગચાળાના નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના એક હજાર 761 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 127 લોકોના મોત નીપજ્યા છે. ગઈકાલ કોરોનાના 2 હજાર 75 કેસ સામે આવ્યા હતા અને 71 લોકોના મોત નીપજ્યા હતા. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 4 કરોડ 30 લાખ 7 હજાર 841 કેસ સામે આવી ચુક્યા છે. જાણો દેશમાં કોરોનાની તાજેતરની સ્થિતિ શું છે.

સક્રિય કેસ ઘટીને 26 હજાર 240 થયા

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, ગઈકાલે દેશમાં 3 હજાર 196 લોકો સાજા થયા હતા, ત્યાર બાદ સક્રિય કેસની સંખ્યા ઘટીને 26 હજાર 240 પહોંચી ગઈ છે. જ્યારે આ રોગચાળાના કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 5 લાખ 16 હજાર 479 પહોંચી ગઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ, અત્યાર સુધીમાં 4 કરોડ 24 લાખ 65 હજાર 122 લોકો કોરોનાની સારવાર દરમિયાન સાજા થયા છે.

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ, અત્યાર સુધીમાં કોરોનાવાયરસ રસીના 181 કરોડથી વધુ ડોઝ અપાયા છે. જ્યારે ગઈકાલે 15 લાખ 34 હજાર 444 ડોઝ અપાયા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં રસીના 181 કરોડ 27 લાખ 11 હજાર 675 ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં કોવિડ વિરોધી રસીકરણ અભિયાન 16 જાન્યુઆરી, 2021 થી શરૂ કરવામાં આવ્યું હતું અને પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી. જયાએ કોરોના યોદ્ધાઓ માટે રસીકરણ અભિયાન 2 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવ્યું હતું.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago