જાણવા જેવું

તમે કોઈ દિવસ રસ્તા પર પડેલા રૂપિયા લીધા છે ? ક્લિક કરી જાણો શું એ શુભ છે કે અશુભ ! ! !

ઘરેથી ઑફિસ જતી વખતે અથવા ઘરે પાછા ફરતી વખતે જો તમને રસ્તામાં કોઈ નોટ અથવા સિક્કો પડેલો હોય તો તે પૈસાનું શું કરવું તે જાણવા માટે જરૂર વાંચો આ લેખ. આ પૈસા લેવા શુભ છે કે અશુભ તે માહિતી વિશે પણ તમને જરૂર આ લેખમાં જાણવા મળશે.

તમારી સાથે કોઈ વાર એવું બન્યું હશે કે તમને રસ્તા પર પડેલા પૈસા મળી મળ્યાં હશે.. તે એક સિક્કો પણ હોઈ શકે છે અથવા નોટ પણ હોય શકે. જ્યારે આવું થાય છે ત્યારે મનમાં વારંવાર મૂંઝવણ આવે છે કે આ પૈસાનું શું કરવું?

કેટલાક લોકો આ પડેલા પૈસા લઈને પોતાના ખિસ્સામાં નાંખી દે છે. છે તો ઘણા લોકો એવા પણ હોય છે જે કોઈપણ રીતે જરૂરિયાતમંદો ને આપી દે છે અથવા મંદિરમાં દાન કરી દે છે. પરંતુ શું રસ્તા પર પડેલા પૈસા લેવા જોઈએ? શું રસ્તા પર પડેલા પૈસા મળવા એ કોઈ શુભ સંકેત છે કે અશુભ? તો ચાલો હવે આપણે તેના વિશે જાણીએ.

રસ્તા પર પડેલા પૈસા મળવા એટલે તમે નસીબદાર છો. રસ્તા પર પડેલા પૈસા, ખાસ કરીને સિક્કો આધ્યાત્મિકતા સાથે સંબંધિત છે. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે રસ્તા પર પડેલો સિક્કો મળવાનો અર્થ એ છે કે તમારા પૂર્વજોનો આશીર્વાદ તમારી સાથે છે. આવી સ્થિતિમાં તમે જે પણ કામ પૂરી મહેનતથી કરશો તેમ તમને સફળતા મળશે અને તમે પ્રગતિ કરશો. રસ્તા પર પડેલા પૈસા મેળવતા લોકોને નસીબદાર માનવામાં આવે છે.

ચીનમાં પૈસા અથવા સિક્કાઓને ફક્ત વ્યવહાર તરીકે જ નથી ગણવામાં આવતા, પરંતુ તેને સારા નસીબનું પ્રતીક પણ માનવામાં આવે છે. ભારતમાં, પૈસાને સંપત્તિને દેવી લક્ષ્મી સાથે સંકળાયેલ તરીકે જોવામાં આવે છે, તેથી અણધારી રીતે રસ્તા પર પડેલા પૈસા મળે છે તે સારું માનવામાં આવે છે.

આ રસ્તા પર પડેલા પૈસા મળે તો તેને રાખજો, તેને વપરશો નહીં. અમુક સમયે રસ્તા પર પડેલા પૈસા મળવા એ કોઈ નવા કામની શરૂઆતનો  સંકેત હોઈ શકે છે. જો તમે નવી યોજના, નવો ધંધો અથવા નવી નોકરી શોધી રહ્યા છો, તો સિક્કો મળવો એ એક સંકેત છે કે તમારે હવે તે દિશામાં કામ કરવું જોઈએ કારણ કે યોગ્ય સમય આવી ગયો છે. તે સફળતા અને પ્રગતિની નિશાની પણ હોઈ શકે છે.

જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે જાવ છો અને એ સમયે રસ્તામાં પૈસા મળે, તો તે તમારા માટે સંકેત છે કે તમને તમારા કાર્યમાં સફળતા મળશે. કામ કરીને ઘરે પાછા આવતી વખતે જો તમને રસ્તામાં પૈસા મળે, તો આ સંકેત હોઇ શકે છે કે તમને આર્થિક લાભ મળશે. જો તમે ઇચ્છતા હોવ તો, તમે આ રસ્તા પર પડેલા પૈસા મંદિરમાં દાન કરવાને બદલે તમારા પર્સમાં અથવા ઘરની કોઈ જગ્યાએ રાખી શકો છો, પરંતુ તે પૈસાને વાપરવા ન જોઇએ.

રસ્તા પર પડેલા પૈસા લેશો તો જે વ્યક્તિના આ પૈસા છે તેની ઉર્જા તમારામાં આવી જશે. આ ઉર્જા સકારાત્મક અને નકારાત્મક પણ હોઈ શકે છે. પરંતુ વ્યક્તિ ખુશ હોઈ અને તેના દિવસો સારા વીતી રહ્યા હોય, તો તેની સકારાત્મક ઊર્જા પૈસાની દ્વારા તમારામાં પ્રવેષ કરી જશે.

રસ્તા પર પડેલ સિક્કા પ્રગતિ તરફ ઈશારો કરે છે ત્યારે રસ્તા પરથી મળેલ નોટ તમને આવનારા સમય માટે સાવચેત કરે છે. રસ્તા પર પડેલી નોટ જો તમને મળે તો સમજી જાઓ કે તમારે તમારી પરિસ્થિતીઓને ગંભીરતાથી જોવાની જરૂર છે. તે ઈશારો છે કે તમે તમારા કામમાં બેદરકારી દાખવી રહ્યા છો અને જો આવું જ ચાલતું રહ્યું તો તમારે ભારે નુકશાનીનો પણ સામનો કરવો પડી શકે છે. તેથી જ્યારે પણ તમને રસ્તા પર પડેલ નોટ મળે તો ખુશ થવાની જગ્યાએ સાવધાન થઈ જાઓ અને પરિસ્થિતીઓને ગંભીરતાથી લેવાનું શરૂ કરી દો.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago