ધાર્મિક

શું આજે પણ નિધિવનમાં રાસલીલા કરવા આવે છે ભગવાન કૃષ્ણ? આ છે તેની પાછળનું રહસ્ય

આજે આપણે વૃંદાવનમાં સ્થિત નિધિવન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, એવું કહેવાય છે કે આજે પણ ભગવાન કૃષ્ણ અહીં રાસલીલા કરવા આવે છે. આ પાછળનું રહસ્ય શું છે? આજે આપણે તે જ વિશે જાણીશું. ઉત્તર પ્રદેશમાં સ્થિત મથુરાનું વૃંદાવન ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિ તરીકે ઓળખાય છે. ભગવાને બાળપણમાં આ સ્થળે ઘણી લીલાઓ બતાવી હતી. આ કારણોસર, દર વર્ષે લાખો ભક્તો તેમના ભગવાનના દર્શન કરવા માટે અહીં આવે છે.

અહીં તમને ઘણા મોહક મંદિરો મળશે. જયારે, મથુરાના વૃંદાવનમાં પણ આવું રહસ્યમય સ્થળ આવેલું છે, જેના વિશે કહેવામાં આવે છે કે આજે પણ ભગવાન શ્રીકૃષ્ણ અહીં ગોપીઓ સાથે રાસલીલા કરે છે. આ સ્થળનું નામ નિધિવન છે. ચાલો જાણીએ આ રહસ્યમય સ્થળ વિશે-

તમારામાંથી ઘણાએ નિધિવનનું નામ સાંભળ્યું હશે. એવું માનવામાં આવે છે કે આજે પણ ભગવાન શ્રીકૃષ્ણ દરરોજ રાસલીલા કરવા માટે આ સ્થળે આવે છે. આ દરમિયાન તે પોતાની રાધા અને અનેક ગોપીઓ સાથે નૃત્ય કરે છે. મહત્ત્વની વાત એ છે કે ગામના કોઈએ પણ આજ સુધી ભગવાન અને તેની રાસલીલા જોઈ નથી. તેમાં છતાં પણ, તેઓ તેમાં માને છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે ઘણા લોકોએ આ સ્થળનું રહસ્ય ઉઘાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમના તમામ પ્રયત્નો વ્યર્થ સાબિત થયા હતા. એવું માનવામાં આવે છે કે જેઓ નિધિવનમાં વૃક્ષની પાછળ છુપાઈને ભગવાનની આ રાસલીલા જોવાનો પ્રયાસ કરે છે, તેઓ કાં તો માનસિક સંતુલન ગુમાવે છે અથવા આઘાતનો શિકાર બને છે.

આ એક મોટું કારણ છે, જેના કારણે આ સ્થળે રાત્રે કોઈ આવતું નથી. જયારે, જે લોકોનું ઘર નિધિવન નજીક આવેલું છે. તેઓ રાત્રે તેમના દરવાજા અને બારીઓ સંપૂર્ણપણે બંધ કરે છે. આ જંગલમાં વિવિધ પ્રકારના વૃક્ષો અને છોડ છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ વૃક્ષો અને છોડ રાત્રે ગોપીઓમાં બદલાઈ જાય છે. જયારે, સવારે તેઓ ફરીથી તેમના સમાન સ્વરૂપમાં આવે છે.

નજીકના લોકો દાવો કરે છે કે રાત્રિ દરમિયાન નિધિવનમાંથી પગે ચાલવાનો અવાજ અને વાંસળી ને સંભળી છે. આ સ્થળે સાંજે 5 વાગ્યા પછી કોઈ પણ વ્યક્તિ પ્રવેશ કરી શકતો નથી.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago