રાજકારણ

અગ્નિપથ યોજનાના વિરોધને લઈને રાજ્યસભા સાંસદ ડો. સંદીપ પાઠકનું મોટું નિવેદન

રાજ્યમાં વિધાનસભાની ચુંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ ગુજરાતના રાજકારણમાં સતત ગરમાવો આવી રહ્યો છે. ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એક્શન મોડ પર આવી ગઈ છે. જ્યારે ગુજરાતમાં સતત આમ આદમી પાર્ટી દ્વારા રેલીઓ અને સભાઓ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

એવામાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી અને રાજ્યસભા સાંસદ ડો. સંદીપ પાઠક દ્વારા દેશભરમાં અગ્નિપથ યોજનાના વિરોધને લઈને મોટું નિવેદન આપવામાં આવ્યું છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જ્યારે પણ ભાજપ સરકાર કોઈ નવી નીતિ જાહેર કરે છે ત્યારે તેનાથી સામાન્ય લોકોને જ નુકસાન પહોંચે છે. ભૂતકાળમાં નોટબંધી હોય, જીએસટી હોય કે કિસાન બિલ હોય, દરેક વખતે ભાજપ સરકાર દ્વારા લોકોને રસ્તા પર ઉતરવાની ફરજ પાડવામાં આવી છે. આજે દેશનો યુવા વર્ગ રસ્તા પર ઉતરીને ભાજપ સરકારની ખોટી નીતિઓનો વિરોધ કરી રહ્યો છે. કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા ત્રણેય સેવાઓમાં સૈનિકોની ભરતી માટે નવી અગ્નિપથ યોજના જાહેર કરીને દેશના યુવાનોને રસ્તા પર ઉતરવાની ફરજ પાડવામાં આવી છે.

તેમને વધુમાં એ પણ જણાવ્યું છે કે, આ બધું એટલા માટે થાય છે કે, કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા ક્યારેય જનતાની ભલાઈ કરતો નિર્ણય લેવામાં આવ્યો નથી. તે માત્ર તાનાશાહની જેમ પોતાનો નિર્ણય લે છે. તેની સાથે તે ભૂલી જાય છે કે, દેશ તેમના તાનાશાહી નિર્ણયો પર નહીં પરંતુ બંધારણથી ચાલે છે. આ સિવાય દેશના યુવાનો આર્મીમાં જોડાવા માટે ઘણા વર્ષો સુધી મહેનત કરે છે અને આટલી મહેનત પછી જો તેમને માત્ર 4 વર્ષ માટે નોકરી મળે તો તે નોકરીનો શું અર્થ? આજે દેશના યુવાનો આખી જિંદગી સેનામાં જોડાઈને દેશની સેવા કરવા માંગે છે, પરંતુ કેન્દ્ર સરકાર તેમની પાસેથી તે છીનવી રહી છે. અગ્નિપથ યોજના દ્વારા સરકારે નવા જોડાવનાર સૈનિકોની પેન્શન સેવા પણ બંધ કરવાની જાહેરાત કરી છે, આ દેશના યુવાનો અને સૈનિકો સાથે છેતરપિંડી છે. દેશના યુવાનો દુશ્મન સામે લડવા તૈયાર હોય, દુશ્મનની ગોળી છાતી પર ખાવા તૈયાર હોય પરંતુ કેન્દ્ર સરકાર આવા બહાદુર યુવાનોને પેન્શન આપવા પણ તૈયાર ન હોય તો આ કેવો ન્યાય?

છેલ્લા 2 વર્ષથી સેનામાં ભરતી બંધ હતી, તો કેન્દ્ર સરકાર તેમની ઉંમર વટાવી ચૂકેલા યુવાનોને કઈ રીતે લાભ આપશે? પહેલા કેન્દ્ર સરકારે નક્કી કર્યું કે અગ્નિપથ યોજના હેઠળ સેનામાં જોડાવા માટેની વય મર્યાદા 21 વર્ષ હશે અને જ્યારે યુવાનો રસ્તા પર આવી ગયા, ત્યારે સરકારે પોતાનો નિર્ણય ફેરવી નાખ્યો અને વય મર્યાદા બદલીને 23 વર્ષ કરી દીધી. આ સરકાર આ રીતે પોતાની મરજીથી નિર્ણયો લે છે અને પછી વિરોધ થાય ત્યારે પોતાના નિર્ણયને ઉલટાવી લે છે. પરંતુ દેશના યુવાનો આનાથી વધુ ખુશ નથી કારણ કે સમગ્ર યોજના દેશ માટે ખતરા સમાન છે.

પ્રાપ્ત માહિતી મુજબ, સેનામાં 1.25 લાખ પદો ખાલી છે. તો શા માટે સરકાર આ જગ્યાઓ પર સીધી ભરતી નથી કરતી? આ વર્ષે અગ્નિપથ યોજના હેઠળ માત્ર 46000 પદો પર ભરતી કરવાનો શું અર્થ છે જ્યારે આર્મીમાં 1.25 લાખ જગ્યાઓ ખાલી છે. વધુ એક જુમલો આપતા કેન્દ્ર સરકારે કહ્યું કે, જે યુવાનો 4 વર્ષ પછી સેનામાંથી રિટાયર્ડ થયા હશે તેમને અન્ય સરકારી નોકરીઓમાં પ્રાથમિકતા આપવામાં આવશે. પરંતુ અમારો પ્રશ્ન એ છે કે કરોડો યુવાનો આજે પણ નોકરી વગર અહી ઠોકર ખાઈ રહ્યા છે, તો જો સરકારી નોકરીઓમાં યુવાનોની ભરતી કરવી આટલી આસાન છે તો અત્યારે ખાલી પડેલી તમામ જગ્યાઓની ભરતી શા માટે નથી થતી?

અમને લાગે છે કે બીજેપી સરકારે ક્યાંકને ક્યાંક દેશમાંથી સરકારી નોકરીઓ ખતમ કરવાનો નિર્ણય લીધો છે. તેથી જ આજે દેશમાં ઘણી બધી સરકારી કંપનીઓનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે અને હવે સરકાર સૈનિકોને માત્ર 4 વર્ષની નોકરી આપવાની વાત કરી રહી છે. દેશના યુવાનો હવે આ તમામ ષડયંત્રોને સારી રીતે સમજી ગયા છે, તેથી તેઓ પોતાના હક અને અધિકાર માટે રસ્તા પર ઉતરી વિરોધ કરી રહ્યા છે. જ્યારે હું સ્પષ્ટપણે માનું છું કે આયોજન વગરની કોઈપણ નીતિ કે યોજના દેશ માટે યોગ્ય નથી. કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજના દેશના હિતમાં નથી, ભાજપ સરકાર યુવાનોના ભવિષ્ય સાથે રમત રમી રહી છે. યુવાનો માત્ર 4 વર્ષ જ નહીં પરંતુ જીવનભર દેશની સેવા કરવા માંગે છે. તેથી ભાજપ સરકારે આ નિર્ણય તાત્કાલિક પાછો ખેંચવો પડશે.

તેની સાથે “આપ” યુથ વિંગે સુરત અને અમદાવાદમાં કલેક્ટરને આવેદન પત્ર આપી અગ્નિપથ યોજના રદ કરવાની માંગ કરી અને તેનો વિરોધ નોંધાવ્યો.

 

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago