ક્રાઇમ

અમદાવાદ ના વધુ એક વિસ્તારમાંથી દેહ વેપારના ધંધાનો થયો પર્દાફાશ, બાંગ્લાદેશથી લાવવામાં આવી હતી યુવતીઓને

અમદાવાદ ના વધુ એક વિસ્તારમાંથી દેહ વેપારના ધંધાનો થયો પર્દાફાશ, બાંગ્લાદેશથી લાવવામાં આવી હતી યુવતીઓને

અમદાવાદના વસ્ત્રાલમાં દેહ વેપાર ચાલતો હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદ એસઓજીને જાણ થઈ હતી કે, વસ્ત્રાલમાં આવેલા સત્યમ આવાસ યોજનાના મકાનોમાં દેહ વેપારનો ગોરખધંધો ચલાવવામાં આવી ચાલી રહ્યો છે. તેના લીધે મહિલા પોલીસની ટીમને સાથે રાખીને એસઓજી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જયારે આ તપાસમાં આવાસ યોજનામાં કાર્યવાહી કરતા એક આરોપી મિલ્ટન શેખ નામનો મળી આવ્યો હતો જે મૂળ બાંગ્લાદેશનો હોવાનુ સામે આવ્યું છે. જે બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે મહિલાઓને રૂપિયાની લાલચ આપીને બોલાવતો અને દેહ વેપારના ધંધામાં ધકેલતો હતો.

તેની સાથે તે પણ જાણવા મળ્યું છે કે, આરોપીને આ અગાઉ એસઓજી દ્વારા ભારતથી બાંગ્લાદેશ પરત મોકલી દેવામાં આવ્યો હતો. તેમ છતાં ભારતમાં ખોટી રીતે આવ્યો હોવાની જાણકારી સામે આવી છે. જયારે એસસોજીની ટીમ દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવી તો રૂમમાં આવેલા હોલમાં ત્રણ યુવતીઓ જોવા મળી હતી. તેની પૂછપરછ કરવામાં આવી તો જાણવા મળ્યું હતું કે, આ યુવતીઓને પણ મિલ્ટન શેખ દ્વારા ખોટી રીતે બોર્ડર ક્રોસ કરાવીને ભારતમાં લાવવામાં આવી હતી.

આ તપાસ દરમિયાન એક યુવતી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આરોપી મિલ્ટન શેખ દ્વારા તેમને રૂપિયાની લાલચ આપી વેશ્યાવૃત્તિના ધંધામાં ધકલેવામાં આવી હતી. જયારે આ બાબતમાં એસઓજી દ્વારા વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે કે, આ આરોપી દ્વારા વધું મહિલાઓને લાવવામાં તો આવી નથી.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago