અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે. કોરોનાની આ નવી લહેરમાં મોટી સંખ્યામાં બાળકો પણ સંક્રમિત થઈ રહ્યા છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પણ અત્યારે અનેક બાળકો સારવાર લઈ રહ્યા હોવાને કારણે હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કોરોનાગ્રસ્ત બાળકો માટે એક અલગ પિડિઆટ્રીક વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે જ્યાં દર્દીની સાથે એક વ્યક્તિને રોકાવાની મંજૂરી આપવામાં આવે છે. અહીં મોટાભાગે બાળકની સાથે માતા અથવા પિતામાંથી કોઈ એક રોકાય છે.
3 વર્ષની ઉંમરના સૌરવના પિતા રામબીર રાજપુત પાછલા 10 દિવસથી દીકરા સાથે સિવિલ હોસ્પિટલમાં છે. કફ અને તાવ જેવા લક્ષણો હોવાને કારણે સૌરવને ખાનગી દવાખાનામાં લઈ જવામાં આવ્યો હતો જ્યાંથી તેને સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં તેના પિતા જણાવે છે કે, હું પીપીઈ કિટ પહેરીને મારા દીકરાનું ધ્યાન રાખુ છું.
ડોક્ટર જણાવે છે કે તેના સ્વાસ્Úયમાં સુધારો છે. તેમની બાજુના બેડ પર નોબલનગર વિસ્તારમાં રહેતા દુલાની મિરિયાની સારવાર ચાલી રહી છે, જેમને 14 મહિનાની દીકરી માયેશા સાથે શનિવારના રોજ દાખલ કરવામાં આવ્યા હતા. તે જણાવે છે કે, બે દિવસ પહેલા મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મારા લક્ષણો સામાન્ય હતા માટે મને હોમ ક્વોરન્ટાઈન થવાની સલાહ આપવામાં આવી હતી. તે દરમિયાન મારી દીકરીને પણ તાવ આવવા લાગ્યો. અમે સમય વેડફ્યા વિના તેનો પણ રિપોર્ટ કરાવ્યો જેનું પરિણામ હજી આવ્યું નથી. આગળ જતા કોઈ તકલીફ ના થાય તે માટે તેને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
સિવિલ હોસ્પિટલના એડિશનલ મેડિકલ સુપ્રીટન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશી જણાવે છે કે, હોસ્પિટલમાં અત્યારે 12 કોરોનાગ્રસ્ત બાળકો સારવાર લઈ રહ્યા છે. વયસ્કોની સરખામણીમાં બાળકોમાં લક્ષણો હળવા હોય છે, પરંતુ આ લહેરમાં ગંભીર લક્ષણો ધરાવતા બાળકોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…