ગુજરાત

પીએમ મોદીએ રથયાત્રાની દેશ વાસીઓને પાઠવી શુભેચ્છા, ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના શ્રી જગન્નાથજી મંદિરની રથયાત્રામાં લીધો ભાગ

પીએમ મોદીએ રથયાત્રાની દેશ વાસીઓને પાઠવી શુભેચ્છા, ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના શ્રી જગન્નાથજી મંદિરની રથયાત્રામાં લીધો ભાગ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના શ્રી જગન્નાથજી મંદિરની રથયાત્રામાં ભાગ લીધો હતો. જે બાદ તેમણે પૂજા કરી હતી. સવારે 5.30 વાગ્યાની આસપાસ ત્રણેય ભગવાનને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથ સહિત બળભદ્રજી અને બહેન સુભદ્રાનાં દર્શન કરીને સોનાની સાવરણીથી કચરો વાળીને પહિંદવિધિ કરી હતી. અમદાવાદના મેયર અને ડેપ્યુટી મેયરે ભગવાનને હાર પહેરાવી દર્શન કર્યા. ભગવાનના મોસાળ સરસપુર ખાતે રથયાત્રાને લઈને માહોલ જામ્યો છે.મોટી સંખ્યામાં સ્થાનિકો અને અન્ય ભક્તો દર્શન માટે આવી રહ્યા છે.

પીએમ મોદીએ રથયાત્રાની પાઠવી શુભેચ્છા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને રથયાત્રાની શુભેચ્છા પાઠવી હતી. તેમણે લખ્યું છે કે રથયાત્રાના ખાસ દિવસે અભિનંદન. અમે ભગવાન જગન્નાથને તેમના સતત આશીર્વાદ માટે પ્રાર્થના કરીએ છીએ. આપણે બધા સારા સ્વાસ્થ્ય અને ખુશીઓ સાથે આશીર્વાદ આપીએ.

અમિત શાહે કરી મંગળા આરતી

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સવારે લગભગ 4 વાગ્યે અમદાવાદ મંદિરમાં ભગવાન જગન્નાથની મંગળા આરતી કરી હતી. મંદિરના પૂજારીએ કહ્યું કે ‘મંગલા આરતી’ પરંપરા ઘણા વર્ષોથી ચાલી આવે છે. ભગવાન જગન્નાથ, તેમના ભાઈ ભગવાન બલભદ્ર અને બહેન સુભદ્રાના રથ સવારે લગભગ 7 વાગ્યે મંદિર પરિસરમાંથી નીકળશે.

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા પૂર્વે આદિવાસી નૃત્ય અને ઢોલ-નગારા સાથે ભક્તોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો…

ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ બુધવારે જણાવ્યું હતું કે રથયાત્રાની સુરક્ષા માટે મહત્વના સ્થળો પર પોલીસ, રિઝર્વ પોલીસ અને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસના 25,000 જવાનો તૈનાત કરવામાં આવશે. અગાઉ સંઘવી અને ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર. પાટીલે જમાલપુર વિસ્તારમાં ભગવાન જગન્નાથ મંદિરની મુલાકાત લીધી હતી અને કેટલીક ધાર્મિક વિધિઓમાં ભાગ લીધો હતો.

સંઘવીએ પત્રકારોને જણાવ્યું હતું કે, “અમે રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે નિયમિત કોન્સ્ટેબલ ઉપરાંત સ્ટેટ રિઝર્વ પોલીસ (SRP) અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CRPF) ની 68 કંપનીઓ તૈનાત કરીશું.” તેમણે કહ્યું કે સર્વેલન્સ માટે ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago