ધાર્મિક

કેમ મૃત્યુ પછી કરવું પડે છે પિંડદાન ? જાણો શસ્ત્રો અનુસાર તેની પાછળ નું સાચું કારણ

જીવન મૃત્યુ એ ઈશ્વરના હાથમાં છે પરંતુ મૃત્યુ થયા પછી ઘણી એવી વાતો છે જે આપણે જાણતા નથી ગરુડ પુરાણમાં, મૃત્યુ પછીના ઘણા કામની વિશે વાતો કરવામાં આવી છે, આ કામ લગભગ દરેક હિંદુ ઘરોમાં થતાં જ હોય છે, પણ તે કામો વિશે કોઈને પણ કોઈ જાણકારી હોતી નથી.

ગરુડ પુરાણ એ સનાતન ધર્મના 18 મહાપુરાણોમાંનું એક વિશેષ પુરાણ કહેવાય છે. ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુ અને તેમના વાહન ગરુડ વચ્ચેની વાત દ્વારા લોકોને નીતિ, નિયમો, પુણ્ય, જ્ઞાન, તપસ્યા, યજ્ઞ જેવું બધું જ ગરુડ પુરાણમાં વર્ણવામાં આવ્યું છે. ગરુડ પુરાણમાં, વ્યક્તિના અંતિમ સંસ્કારથી લઈને પિંડ દાન સુધી અને મૃત્યુ પછી તેરમાંની વિધિ  સુધી શરીરનું મહત્વ વર્ણવામાં આવ્યું છે. મૃત્યુ પછી વ્યક્તિની આત્મા 13 દિવસ સુધી ઘરમાં  પરિવારના સભ્યો સાથે રહે છે, તે ફરીથી કોઈ શરીરમાં પ્રવેશ કરવા માંગતી હોય છે.

પરંતુ આત્મા સ્વરૂપમાં તે કરી શકતી નથી. આ સમયમાં આત્મા ભૂખ અને તરસથી પીડાતી હોય છે અને રડતી હોય છે. તેથી પરિવારના સભ્યો દ્વારા આત્માની મુક્તિ માટે  10 દિવસ સુધી વિધિ કરવામાં આવે છે જેમાં પિંડ દાનનું  સૂક્ષ્મ શરીર બનાવવામાં આવે છે, જે હાથના અંગૂઠાના કદ જેવુ હોય છે.

આ સૂક્ષ્મ શરીર 13 દિવસ વિધિ  પછી મુક્તિ મળતા તે  યમલોકની યાત્રા તરફ પ્રયાણ  કરે છે. અહી ત્યાં પછી પોતાના કર્મ પ્રમાણે પરિણામ ભોગવે છે પહેલા દિવસે  પિંડદાન, પછી માથા સુધી, બીજા દિવસે ગળા અને પછી ખભા સુધી,  હૃદય સુધી, ચોથા દિવસથી પાછળ સુધી, પાંચમા દિવસથી નાભિ સુધી, આમ દસ દિવસ સુધીની બધી જ યાતના આત્મા ભોગવે છે. આ પિંડથી જ આત્માને શકતી મળે છે. જેથી પિંડના રૂપમાં રહેલ આત્માને યમલોક સુધીની મુસાફરી કરી શકે છે.

ભારતીય શાસ્ત્રમાં વ્યક્તિના મુત્યુ થયા પછી તેના અંતિમ સંસ્કાર કર્યા પછીના 13 દિવસ સુધી પિંડની વિધિ કર્યા પછી તેના માટે પિંડ દાન કરવું જ જોઈએ. આ 13દિવસની વિધિ પછી  તેરમા દિવસે વ્યક્તિની આત્મા તેમના  શરીરનું દાન કરતા યમદૂત દ્વારા યમલોકમાં જાય છે.

જે વ્યક્તિના મુત્યુ પછી અંતિમ સંસ્કાર કે અન્ય કોઇ વિધિ કરવામાં નથી આવતી એમની આત્મા અહી જ પૃથ્વી પર ભટકતી રહે છે અને અથવા અમુક અધૂરી ઈચ્છાઓ બાકી હોય તો મુક્તિ નથી મળતી. પરિવારના સભ્ય દ્વારા પિંડ દાન કર્યા પછી, તેરમા દિવસે જ્યારે મૃતકના સંબંધીઓ 13 બ્રાહ્મણોને ખવડાવે છે, ત્યારે આત્માને પ્રેત યોનિમાંથી મુક્તિ મળે છે.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago