દેશની એક બેંક બચત ખાતા પરના વ્યાજ દરમાં ઘટાડો કરવા જઈ રહી છે. આ બેંક પંજાબ નેશનલ બેંક એટલે કે પીએનબી છે. પંજાબ નેશનલ બેંક 1 સપ્ટેમ્બર, 2021થી બચત ખાતાની થાપણો પરના વ્યાજ દરમાં ઘટાડો કરવાની તૈયારીમાં છે. આ માહિતી બેંકની સત્તાવાર વેબસાઇટ પરથી મળી હતી. બેંકનો નવો વ્યાજ દર વાર્ષિક 2.90 ટકા રહેશે.
પીએનબીના જણાવ્યા અનુસાર નવો વ્યાજ દર પીએનબીના હાલના અને નવા બચત ખાતાઓ બંને પર લાગુ પડશે. હાલ પંજાબ નેશનલ બેંકમાં બચત ખાતા પર વ્યાજદર વાર્ષિક 3 ટકા છે. પંજાબ નેશનલ બેંક દેશની બીજી સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક છે. એસબીઆઈ (સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા) હાલમાં ભારતની સૌથી મોટી બેંક છે. એસબીઆઈ બચત ખાતા પર વ્યાજ દર હાલમાં વાર્ષિક 2.70 ટકા છે.
આ બંને બેંકો હવે પીએનબીનો ભાગ છે: હવે ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ અને યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા પણ પંજાબ નેશનલ બેંકનો ભાગ છે. આ બંને બેંકોને 1 એપ્રિલ, 2020થી પીએનબીમાં મર્જ કરવામાં આવી છે. તો હવે ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ અને યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયાની શાખાઓ પીએનબીની શાખાઓ તરીકે કામ કરી રહી છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…