સ્વાસ્થ્ય

ભારતના ખાતામાં જોડાઈ વધુ એક સિદ્ધિ, 15-18 વર્ષની વય જૂથના 2 કરોડ કિશોરોનું થયું સંપૂર્ણ રસીકરણ, ગયા મહિને શરૂ થયું રસીકરણ

ભારતના ખાતામાં જોડાઈ વધુ એક સિદ્ધિ, 15-18 વર્ષની વય જૂથના 2 કરોડ કિશોરોનું થયું સંપૂર્ણ રસીકરણ, ગયા મહિને શરૂ થયું રસીકરણ

દેશમાં કોરોના મહામારીને લઈને હાલમાં રસીકરણ અભિયાન ઘણું ઝડપથી કરવામાં આવી રહ્યું છે. ગયા મહિને જ 15 થી 18 વર્ષ માટે રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું અને અત્યાર સુધીમાં 2 કરોડ કિશોરોને સંપૂર્ણ રસીકરણ કરવામાં આવ્યું છે. આ મામલે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે અત્યાર સુધીમાં 15 થી 18 વર્ષની વયજૂથના બે કરોડ કિશોરોને કોરોના રસીના બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે.

15 થી 18 વર્ષની વયજૂથના કિશોરોની રસીકરણ માટે 1 જાન્યુઆરીથી નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. શરૂઆતના તબક્કામાં, આ વય જૂથના 12 લાખથી વધુ કિશોરોએ રસીકરણ માટે નોંધણી કરાવી હતી. વેક્સિનેશન માટે હાલમાં પણ કોવિન પોર્ટલ પર નોંધણી કરવાનું શરૂ છે. આ ઉપરાંત આ વયજૂથના લોકો સીધા રસીકરણ કેન્દ્ર જઈને પણ રજીસ્ટ્રેશન કરાવી શકે છે અને તેમને તાત્કાલિક રસીકરણ પણ કરી દેવામાં આવશે.

આ ઉપરાંત ગયા મહિને જ બૂસ્ટર ડોઝની પણ શરૂઆત કરી દેવામાં આવી હતી. કોરોનાની ત્રીજી લહેર દરમિયાન રસીના બૂસ્ટર ડોઝની જરૂરિયાત અનુભવાઈ હતી. જેના કારણે આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60 વર્ષથી વધુ વયના વૃદ્ધોને બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યા છે.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago