સ્વાસ્થ્ય

ઑક્સીમીટર થી મેળવો એકદમ સટીક રિજલ્ટ: જાણો તેને વાપરવાનો સાચો રસ્તો

કોરોના વાયરસ ના વધતા સંક્રમણ ને લઈ ને આખો દેશ અત્યારે પ્રભાવિત છે. આ વખત નો વાયરસ ફેફસાં પર ખૂબ ઝડપ થી અસર કરે છે. જેના કારણે શ્વાસ લેવામાં મુશ્કેલી પેદા થાય છે અને ઓક્સિજન ની કમી વર્તાય છે. આવા માં જરૂરી છે કે દર્દીઓ ના ઓક્સિજન લેવલ સમય સમય પર ચેક કરતાં રહેવું જોઈએ. ઓક્સીમીટર થી રીડિંગ લેતી વખતે અમુક બાબતો નો ખ્યાલ રાખવો જોઈએ નહિતર એ સંભવિત ખોટું રીડિંગ બતાવી શકે છે.

આગ્રા ના સરોજિની નાયડુ મેડિકલ કોલેજ ના મેડીસીન વિભાગ ના પ્રોફેસર ડોકટર પ્રભાત અગ્રવાલે જણાવ્યું કે જો દર્દી કોરોના પોઝિટિવ હોય તો હોમ આઈસોલેશન રહે અને સમય સમય પર ડોકટર ની સલાહ મુજબ દવાઓ લે. દર્દી નું ઓક્સિજન લેવલ ચેક કરતું રેવું. આ દરમિયાન ફેફસાં ને સંબંધિત કસરત કરતાં રહેવું. જો ઓક્સિજન લેવલ 95 થી વધારે હોય તો તમે સ્વસ્થ છો. અને જો ઓક્સિજન લેવલ 90 થી નીચે જાય તો તરત ડોકટર નો સંપર્ક કરવો.

આવી રીતે કરવો ઓક્સીમીટર નો ઉપયોગ

  • ઓક્સીમીટર નો ઉપયોગ કરતા પહેલા આંગળી બરાબર સાફ કરી લ્યો.
  • ધ્યાન રાખવું કે આંગળી પર નેનપોલિશ કે અન્ય કોઈ જાત નો રંગ ન લાગ્યો હોવો જોઈએ.
  • ઓક્સીમીટર ને એક મિનિટ સુધી આંગળી પર લગાડેલું રાખવું .
  • જ્યારે રીડિંગ માં થતો બદલાવ ઊભો રહી જાય ત્યારે રીડિંગ નોધો.
  • જો રીડિંગ માં સતત બદલાવ થતો રહે તો એક વાર કોઈ સ્વસ્થ વ્યક્તિ પર ઓક્સીમીટર નો ઉપયોગ કરી જોવો અને શક્ય હોય તો અન્ય ઓક્સીમીટર થી પણ ચેક કરી લેવું.

ફેફસાં ના સ્વાસ્થ્ય માટે કસરત કરો.

  • સવારે જાગી ને અનુલોમ વિલોમ પ્રાણાયામ કરો.
  • દાદરા ચડો ઉતરો
  • ફુગ્ગા ફૂલાવો
  • 20 સેકંડ થી 60 સેકંડ સુધી શ્વાસ રોકી રાખવો પ્રયત્ન કરો . આવું દિવસ માં 3 વખત કરો.
Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago