નટુકાકાનું નામ સાંભળીએ એટલે તારક મહેતા સિરિયલમાં ભૂમિકા ભજવનાર ઘનશ્યામ નાયક નજરે પડે. ઘનશ્યામ નાયક જેઓ પહેલેથી જ ગુજરાતી નાટકો અને ગુજરાતી ફિલ્મોમાં કામ કરતાં જ આવ્યા છે.મોટેભાગની બૉલીવુડ ફિલ્મો પણ કરી છે. આ ઉપરાંત પરિવારમાં પણ નાટકો અને ભવાઇ મંચ સાથે જોડાયેલો રહ્યો છે.
તાજેતર મળેલા સમાચાર અનુસાર ઘનશ્યામ નાયકની તબિયત લથડી હતી, તેમને ગળાનું કેન્સર છે. તે જાણ્યા બાદ પણ તેઓ પોતાના કામને ન છોડ્યું . સાથે તેમણે તેની સારવાર પણ શરૂ કરી દીધી હતી. કીમિયો થેરાપી સારવાર લેતા તેઓ સારા થઈ ગયા. પછી ફરી પોતાની સિરિયલ તારક મહેતાના સેટ પર હાજર થયા શૂટિંગ કરતાં હતા.
પરંતુ હાલની ચાલતી કોરોનાની મહામારીના સમયમાં કોરોનાને કારણે ફિલ્મ અને ટીવી શૂટિંગ થોડાક સમય બંધ હતું. અને થોડા સમય પહેલા શૂટિંગ ફરી શરૂ થઈ ગયું. પણ અમુક નિમયમોને આધારે ૬૫ વર્ષથી ઉપરની વ્યક્તિને શૂટિંગમાં સામેલ ન કરવા માટે જણાવવામાં આવ્યું હતું.
ત્યારે તારક મહેતા નું શૂટિંગ શરૂ હતું, છતાં પણ નટુકાકાને ન આવવા માટે જણાવવામાં આવ્યું ત્યારે એમને ખૂબ જ દુઃખ થયું હતું. અને ત્યારે મીડિયામાં ઘનશ્યામ નાયક બોલ્યા હતા કે હું મારા અંતિમ સમય સુધી કામ ચાલુ રાખીશ,હું મેકઅપ સાથે મરવાનું પસંદ કરીશ.
હાલની માહિતી મુજબ તેમની તબિયત સારી છે.તેઓ એ મુશ્કેલ સમયમાં પણ પોતાના કામને માન આપ્યું. શોમાં બતાવ્યા અનુસાર દમણમાં શોનું શૂટિંગ કરી રહ્યા છે.બહુ જલ્દી જ મુંબઈમાં શૂટિંગ શરૂ થવાના સમાચારથી તેઓ ઘણા ઉત્સાહિત છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…