Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
દેશ

જોલાછાપ નકલી ડૉક્ટર પાસેથી કોરોના ની સારવાર લેતા એક પરિવાર ના 8 સભ્યો ના મોત, 5 ની હાલત ગંભીર

છત્તીસગઢ ના બિલાસપુર માં એક જ પરિવાર ના 8 લોકો ની મોત થઈ છે અને 5 સભ્યો ની હાલત ગંભીર છે. ઉલ્લેખનીય છે કે કોરોના ના લક્ષણ દેખાતા હોવાને લીધે પરિવારે કોઈક કથિત ડુપ્લીકેટ ડોકટર પાસેથી ચીલાચાલુ હોમિયોપેથીક દવા લીધી હતી. પોલીસે આ બાબતે તપાસ શરૂ કરી દીધી છે અને સંભવિત બધા દૃષ્ટિકોણ થી તપાસ હાથ ધરી રહી છે.

આ ઘટના બિલાસપુર ક્ષેત્ર ના સિરગિત્તી થાણા ની છે. અહી કોરમી ગામ ના એક પરિવાર ના બધા લોકો એ આલ્કોહોલ યુક્ત હોમિયોપેથીક દવા પીધી હતી. ત્યારબાદ વધારે તબિયત ખરાબ થતાં એક પછી એક એમ આઠ લોકો એ જીવ ગુમાવી દીધી, અને અન્ય પાંચ લોકો ની હાલત લથડી ગઈ છે.

મૃતકો માંથી 4 લોકો ના અંતિમ સંસ્કાર રાતે ને રાતે જ પતાવી દીધા, આથી મામલો થોડોક શંકાસ્પદ લાગી રહ્યો છે. બિલાસપુર ના સીએમઓ એ જણાવ્યું કે હોમિયોપેથીક દવા પીવાના લીધે આવી સ્થિતિ સર્જાઈ છે. અને 5 લોકો હજી હોસ્પિટલ માં દાખલ છે. દવા આપનાર ડોકટર અત્યારે ફરાર થઈ ગયેલ છે.

[quads id=1]

Related Articles

Back to top button