સમાચાર

એક જ દિવસ માં 114 લોકો ના મોત: મ્યાનમાર ના સેના બની ખૂંખાર.

સશસ્ત્ર સૈન્ય દિન ના દિવસે મ્યાનમારની સેનાએ તમામ હદ પાર કરી હતી અને લોકશાહીની માંગણી સાથે વિરોધીઓ સાથે લોહીની હોળી રમી હતી. દેશભરમાં અનેક જગ્યાએ વિરોધીઓ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. આમાં અત્યાર સુધીમાં 114 લોકોનાં મોત થયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એક જ દિવસમાં આવા અગણિત લોકોનાં મોત થયા છે.

આમાં કેટલાક બાળકોનો સમાવેશ થાય છે. આ દક્ષિણપૂર્વ એશિયાના દેશમાં લશ્કરી બળવા પછીનો આ શનિવારનો સૌથી લોહિયાળ દિવસ હતો. ફેબ્રુઆરી થી લઈ અત્યાર સુધી માં 400થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે

આ બળવાના વિરોધમાં 1 ફેબ્રુઆરીથી 400 થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. મ્યાનમારમાં શનિવારે રાજધાની નેપેતામાં સશસ્ત્ર સૈન્ય દિન નિમિત્તે યોજાયેલી પરેડ દરમિયાન તે જ સમયે વિરોધીઓ પર ગોળીબાર કરવામાં આવી રહ્યો હતો. લશ્કરી શાસક સિનિયર જનરલ મીન આંગે કહ્યું કે સેના લોકોનું રક્ષણ કરશે.

સરકારી ટેલિવિઝને શુક્રવારે ચેતવણી આપી હતી કે વિરોધીઓને ગોળી મારી દેવામાં આવી શકે છે. આ ચેતવણી છતાં, મોટી સંખ્યામાં વિરોધીઓ યાંગોન અને મંડલે સહિત બે ડઝનથી વધુ શહેરોની શેરીઓ પર ઉતરી આવ્યા હતા. મ્યાનમાર નાઉ ન્યૂઝ પોર્ટલ અનુસાર દેશના સૌથી મોટા શહેર યાંગોનમાં 24 લોકોનાં મોત થયા છે. માંડલેમાં પાંચ વર્ષના બાળક સહિત 29 લોકોનાં મોત થયા હતાં.

આ દરમિયાન, સૈન્ય વિરોધી જૂથ સી.આર.પી.એચ.ના પ્રવક્તા ડો.સાસાએ કહ્યું હતું કે, સુરક્ષા જુથ માટે આજનો દિવસ શરમજનક છે. મધ્ય મ્યાનમારના મિંગ્યાન શહેરમાં રહેતા એક વિરોધ પ્રદર્શનકારે કહ્યું, ‘તેઓ અમને પક્ષીઓની જેમ મારી રહ્યા છે. અમે આ છતાં પણ સંઘર્ષ કરીશું. આપણે લશ્કરી શાસનના અંત સુધી લડવું પડશે.’ આ શહેરમાં બે વિરોધકારોનું પણ મોત થયું છે.

અહીં, મ્યાનમારમાં યુરોપિયન યુનિયનના પ્રતિનિધિ મંડળે કહ્યું કે આ દેશનો 76મો સશસ્ત્ર સૈન્ય દિવસ આતંક અને અપમાન દિવસ તરીકે યાદ કરવામાં આવશે. બાળકો સહિત નિર્દોષ નાગરિકોની હત્યા કરવામાં આવી રહી છે. લશ્કરી શાસન પર આંતરરાષ્ટ્રીય દબાણ વધી રહ્યું છે.

મ્યાનમારમાં બળવો દ્વારા સત્તા પર કબજો કરતાં લશ્કર પર આંતરરાષ્ટ્રીય દબાણ વધી રહ્યું છે. યુએસ અને યુરોપિયન યુનિયનએ આ દેશના ઉચ્ચ સૈન્ય અધિકારીઓ અને સૈન્ય સાથે સંકળાયેલી ઘણી કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો છે. જોકે, ચીને મ્યાનમારમાં થયેલા બળવોનો ખુલ્લેઆમ વિરોધ કર્યો ન હતો.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago