SBI money transaction rules: જો તમે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના ગ્રાહક છો, તો તમારા માટે એક ઘણા કામના સમાચાર આવ્યા છે. હવે તમને પૈસા ટ્રાન્સફર કરવા મોંઘા પડશે. વાસ્તવમાં, SBIએ તેની બેંક શાખામાં કરવામાં આવેલ પૈસા ટ્રાન્સફર માટે તાત્કાલિક ચુકવણી સેવા (IMPS)ની સમય મર્યાદા વધારી દીધી છે. આ નવા દરો 1 ફેબ્રુઆરી, 2022થી લાગુ કરી દેવામાં આવી છે.
SBIએ તેના નિવેદનમાં કહ્યું છે કે YONO એપ સહિત ઈન્ટરનેટ બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ દ્વારા 5 લાખ રૂપિયા સુધીના તાત્કાલિક પેમેન્ટ સર્વિસ (IMPS) ટ્રાન્ઝેક્શન માટે કોઈ સર્વિસ ચાર્જ લાગશે નહીં. ગ્રાહકો હવે IMPS દ્વારા 5 લાખ રૂપિયા સુધીની તાત્કાલિક ચુકવણી કરી શકશે. પહેલા આ મર્યાદા 2 લાખ રૂપિયા સુધીની હતી. જો કે, જો તમે બેંકની શાખામાં જઈને IMPS કરો છો, તો તમારે GSTની સાથે સર્વિસ ચાર્જ ચૂકવવો પડી શકે છે. બેંક દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર બેંકની શાખાઓમાંથી કરવામાં આવતા IMPS ટ્રાન્ઝેક્શન માટે 2 લાખથી 5 લાખ રૂપિયાનો નવો સ્લેબ બનાવવામાં આવ્યો છે. આ સ્લેબ હેઠળ આવતી રકમ પરનો સર્વિસ ચાર્જ “20 રૂપિયા + GST” હશે. આ સૂચનાઓ 1 ફેબ્રુઆરી, 2022થી અમલમાં આવશે.
બેંક શાખા માટે લાગુ SBI IMPS શુલ્ક –
– રૂ. 1000 સુધી – કોઈ ફી નહીં
– રૂ.1000 થી વધુ અને રૂ.10,000 સુધી – રૂ.2 + GST
– રૂ. 10,000 થી વધુ અને રૂ.1,00,000 સુધી – રૂ.4 + GST
– રૂ. 1,00,000 થી વધુ અને રૂ.2,00,000 સુધી – રૂ.12 + GST
– રૂ. 2,00,000/- થી વધુ અને રૂ.5,00,000 સુધી – રૂ.20 + GST
ઓનલાઈન માટે SBI IMPS ફી
ઈન્ટરનેટ અથવા મોબાઈલ બેન્કિંગ દ્વારા કોઈપણ IMPS લેણદેણ પર રૂ.5 લાખ સુધીનો GST પર કોઈ સર્વિસ ચાર્જ વસૂલવામાં આવશે નહીં. SBI, એસેટ, ડિપોઝીટ, શાખાઓ, ગ્રાહકો અને કર્મચારીઓની દ્રષ્ટિએ દેશની સૌથી મોટી બેંક છે. ઈન્ટરનેટ બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગનો ઉપયોગ કરનારા ગ્રાહકોની સંખ્યા અનુક્રમે 94.4 મિલિયન અને લગભગ 21 મિલિયન છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…