ક્રાઇમ

માલ્યા, નીરવ મોદી અને ચોક્સીની 19,111 કરોડની સંપત્તિ જપ્ત, 7975 કરોડ વસૂલ્યા

માલ્યા, નીરવ મોદી અને ચોક્સીની 19,111 કરોડની સંપત્તિ જપ્ત, 7975 કરોડ વસૂલ્યા

સરકારે મંગળવારે જણાવ્યું હતું કે બેંક લોનની ચૂકવણી કર્યા વગર વિદેશ ભાગી ગયેલા ઉદ્યોગપતિ વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોકસીની 19,111.20 કરોડ રૂપિયાની સંપત્તિ અત્યાર સુધીમાં જપ્ત કરવામાં આવી છે. રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ કહ્યું કે ત્રણેય ઉદ્યોગપતિઓએ તેમની કંપનીઓ દ્વારા જાહેર ક્ષેત્રની બેંકોમાંથી ખોટી રીતે નાણાં ઉપાડીને છેતરપિંડી કરી છે. તેના કારણે જાહેર ક્ષેત્રની બેંકોને કુલ 22585.83 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ જપ્ત થઇ મિલકતો

તેમણે કહ્યું કે 15 માર્ચ, 2022 સુધીમાં, તેમાંથી, 19111.20 રૂપિયાની સંપત્તિ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈઓ હેઠળ એટેચ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આમાંથી 15,113.91 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર ક્ષેત્રની બેંકોને પરત કરવામાં આવી છે. આ સાથે, 335.06 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે અને ભારત સરકારને આપવામાં આવી છે, એમ તેમણે જણાવ્યું હતું.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે 15 માર્ચ, 2022 સુધીમાં, આ કેસોમાં છેતરપિંડીથી ઉપાડવામાં આવેલા ભંડોળમાંથી 84.61 ટકા જપ્ત કરવામાં આવ્યા છે અને બેંકોને થયેલા કુલ નુકસાનમાંથી 66.91 ટકા બેંકોને પરત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ખાસ વાત એ છે કે એસબીઆઈની આગેવાની હેઠળના બેંકોના સંઘે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તેમને સોંપવામાં આવેલી સંપત્તિ વેચીને 7975.27 કરોડ રૂપિયાની વસૂલાત કરી લીધી છે.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago