દેશ

40 રૂપિયાની લોટરીમાં મજૂર 80 લાખ જીત્યો

કેરળમાં એક મજૂરને લૉટરી લાગતા તેનું નસીબ બદલાઈ ગયું છે. કેરળની કારુણ્ય પ્લસ લોટરીમાં પશ્ચિમ બંગાળથી કેરળ આવેલા મજૂરે બાજી મારી છે. આ મજૂરનું નામ પ્રતિભા મંડલ છે અને તેણે રૂપિયા 80 લાખનું પ્રથમ ઈનામ જીત્યું છે.

આ મજૂર પશ્ચિમ બંગાળથી કામની શોધમાં કેરળ પહોંચ્યો હતો કે જ્યાં તે કંસ્ટ્રક્શનનું કામ કરતો હતો. તેણે રૂપિયા 40ની લૉટરી ટિકિટ ખરીદી હતી અને હવે તે વિજેતા જાહેર થયો છે. અચાનક આટલી મોટી રકમ મળતા આ મજૂર ખુશ થવાની સાથે-સાથે સહેજ ગભરાઈ પણ ગયો હતો. કારણકે આ મજૂરને સમજાઈ નહોતું રહ્યું કે આટલા બધા રૂપિયાનું તે શું કરશે કારણકે તેની પાસે કોઈ બેંક અકાઉન્ટ પણ નહોતું.

લોટરીનું ઈનામ જીતનાર આ મજૂર સીધો પોલીસ સ્ટેશન પહોંચ્યો અને પોલીસ પાસે પોતાની સુરક્ષાની માગ કરી. ત્યારબાદ પોલીસે બેંકના કર્મચારીઓને પોલીસ સ્ટેશન બોલાવ્યા અને આ મજૂરનું બેંક અકાઉન્ટ ખોલાવી આપ્યું. અને લોટરીની ટિકિટને બેંકના લોકરમાં મૂકાવી દીધી.

લોટરી જીત્યા બાદ પોલીસ તેને બેંક લઈ ગઈ અને પછી ઘરે મૂકી આવી. અહીં નોંધનીય છે કે કારુણ્ય પ્લસ લોટરીમાં પ્રથમ વિજેતાને 80 લાખ રૂપિયા આપવામાં આવે છે. બીજા નંબરના વિજેતાને રૂપિયા 10 લાખ આપવામાં આવે છે. આ મજૂરે તેની ટિકિટ પર રૂપિયા 80 લાખનું પ્રથમ ઈનામ જીત્યું છે. જ્યારે આ મજૂરને તેના ભવિષ્યના પ્લાન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે તે એક નવું ઘર બનાવવા માગે છે અને દીકરાને સારું ભવિષ્ય પૂરું પાડવા માગે છે. આ મજૂરની પત્ની તેને 3 વર્ષ પહેલા જ છોડીને જતી રહી હતી.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago