રાજકારણ

ઘાસચારા કૌભાંડમાં લાલુ યાદવને 5 વર્ષની સજા, 60 લાખનો દંડ, 139 કરોડના ગેરકાયદે ઉપાડનો મામલો

ઘાસચારા કૌભાંડમાં લાલુ યાદવને 5 વર્ષની સજા, 60 લાખનો દંડ, 139 કરોડના ગેરકાયદે ઉપાડનો મામલો

લાલુ પ્રસાદ યાદવ (lalu prasad yadav) ને ડોરાન્ડા કોષાગાર સંબંધિત ઘાસચારા કૌભાંડમાં પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ ઉપરાંત તેના પર 60 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. સીબીઆઈના સ્પેશિયલ કોર્ટના જજ એસકે શશીએ આ નિર્ણય લીધો હતો. લાલુના વકીલે જણાવ્યું કે આગળ જામીન માટે અરજી કરવામાં આવશે. પરંતુ જામીન ન મળે ત્યાં સુધી લાલુને જેલમાં જ રહેવું પડશે.

ડોરાન્ડા કોષાગાર નો મામલો ઘાસચારા કૌભાંડનો સૌથી મોટો કેસ હતો. ઘાસચારા કૌભાંડમાં લાલુ યાદવ મુખ્ય કાવતરાખોર હોવાનું જણાવવામાં આવ્યું હતું. CBI તરફથી કહેવામાં આવ્યું હતું કે જ્યારે લાલુ યાદવ નાણામંત્રી, મુખ્યમંત્રી હતા ત્યારે આ બધું તેમના નાક નીચે આ વધુ થયું હતું, એટલે કે આ બધું તેમની જાણમાં હતું.

જણાવી દઈએ કે લાલુને પહેલાથી જ ઘાસચારા કૌભાંડ સાથે જોડાયેલા ચાર મામલામાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. આમાં હાલમાં લાલુ બેલ પર ચાલી રહ્યા છે. આમાં પણ તેમને હાઈકોર્ટમાંથી જામીન મળ્યા હતા. નીચલી અદાલત કે ટ્રાયલ કોર્ટે તેને આમાં રાહત આપી નથી. બાદમાં હાઈકોર્ટમાં કેટલીક સજા અને સ્વાસ્થ્યના મુદ્દે દલીલ કરવામાં આવી હતી, જેના પર હાઈકોર્ટે તેને જામીન આપ્યા હતા. લાલુ યાદવને આ રાહત 42 મહિનાની સજા પૂર્ણ કર્યા બાદ મળી હતી.

CBIની વિશેષ અદાલતે 15 ફેબ્રુઆરીના રોજ લાલુ યાદવ અને અન્ય આરોપીઓને 139.5 કરોડ રૂપિયાના ડોરાન્ડા કોષાગાર સાથે સંકળાયેલા ઘાસચારા કૌભાંડમાં દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે ત્યારે સજાની જાહેરાત કરી ન હતી. આજે કોર્ટની કાર્યવાહી ઓનલાઈન થઈ હતી, લાલુ આમાં ઓનલાઈન જ જોડાયા હતા.

ડોરાન્ડા કોષાગાર મામલે કુલ 170 આરોપીઓ હતા

ડોરાન્ડા કોષાગાર મામલે કુલ 170 આરોપી બનાવવામાં આવ્યા હતા. આમાંથી 55 ના મૃત્યુ થઇ ગયા છે, 7 સરકારી સાક્ષી બન્યા હતા, 2 એ પોતાનો ગુનો કબૂલ કરી લીધો હતો જ્યારે 6 હજુ ફરાર છે. આ પછી કુલ 99 આરોપીઓ બચ્યા હતા, જેમાંથી 24ને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે 75ને દોષિત ઠેરવવામાં આવ્યા છે.

કયા કેસમાં લાલુને કેટલી થઈ સજા?

રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના સુપ્રિમો લાલુ યાદવને ઘાસચારા કૌભાંડના અન્ય ચાર કેસ (દુમકા, દેવઘર અને ચાઈબાસા)માં પહેલા જ દોષિત જાહેર કરવામાં આવ્યા છે. જેમાં તેને કુલ 14 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. જયારે, તેણે અત્યાર સુધીમાં 60 લાખ રૂપિયા સુધીનો દંડ આપવો પડ્યો હતો.

ચાઈબાસામાંથી પહેલા કેસમાં (37 કરોડની ગેરકાયદેસર ઉપાડ) લાલુને પાંચ વર્ષની સજા થઈ હતી. લાલુને દેવઘર કોષાગાર માંથી (79 લાખની ઉપાડ)માં 3.5 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. ત્યાર બાદ તેને ચાઈબાસાના બીજા કેસમાં (33.13 લાખની ગેરકાયદે ઉપાડ)માં પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. ત્યારબાદ દુમકા કોષાગાર (3.13 કરોડની ઉપાડ) ના મામલે સાત વર્ષની સજા લાલુને સંભળાવવામાં આવી હતી.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago