Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
દેશ

જો મૂંગા જીવ ને સૂકો રોટલો દેવાની ત્રેવડ નો હોય તો કઈ નહીં પરંતુ કમસેકમ આવું કામ તો ન જ કરો.

મહારાષ્ટ્રના થાણે શહેરમાં ફરીથી માનવજાત માટે શરમજનક કિસ્સો બન્યો છે. ત્યાં રખડતાં એક કુતરા ને જીવતો સળગાવવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે આવુ કૃત્ય કરનાર અજાણ્યા લોકો સામે ગુનો નોંધ્યો છે. એક અધિકારીએ શુક્રવારે આ માહિતી આપી. તેમણે કહ્યું કે આ સંદર્ભે સિટીઝન્સ ફોર એનિમલ પ્રોટેક્શન ફાઉન્ડેશનના 20 વર્ષીય સભ્યએ રાબોદી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અધિકારીએ જણાવ્યું હતું કે, ફરિયાદીએ જણાવ્યું હતું કે મસણવારામાં મંગળવારે સાંજે તેમને કોઈએ કૂતરો સળગાવ્યો હોવાની માહિતી મળી હતી. તે પછી તે ઘટના સ્થળે ગયો અને તેને કૂતરો બળેલી અવસ્થામાં મળ્યો ત્યાર બાદ આ વ્યક્તિ એ કુતરા ને પ્રાણીની હોસ્પિટલમાં લઈ ગયો. પરંતુ તે ત્યાં જ મરી ગયો.

તેમણે જણાવ્યું હતું કે, અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (આઈપીસી) ની કલમ 9 9 (પશુઓને મારવા અથવા તેને અપંગ બનાવવા વગેરે જેવાં કૃત્ય કરવા) અને પ્રાણી પર થતો અત્યાચાર નિવારણ કાયદા હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

[quads id=1]

Related Articles

Back to top button