જાણવા જેવું

શું આપને ખબર છે કે, લોખંડ પર કાટ શાં માટે લાગે છે? જાણો રસપ્રદ તથ્ય

નાનપણથી જ આપણે વડીલો પાસેથી એક કહેવત જરૂરથી સાંભળતા આવ્યા છીએ કે આપણે કામ કરતા રહેવું જોઈએ નહીંતર જેમ લોખંડમાં કાટ લાગી જાય છે, તેમ આપણા શરીરને પણ કાટ લાગી જશે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે લોખંડમાં કાટ કેમ અને કેવી રીતે લાગે છે? ઘરમાં હાજર લોખંડની વસ્તુઓમાં કાટ લાગવો એ એક સામાન્ય વાત છે. જો કે, તેની શરૂઆત કેવી રીતે થાય છે અને તેનાથી બચાવ કેવી રીતે કરી શકાય છે, ચાલો તેના વિશે આપણે વિગતવાર જાણવાનો પ્રયાસ કરીએ.

લોખંડ પર કાટ કયાં કારણોસર લાગે છે?

સવાલ એ છે કે લોખંડમાં કાટ કેમ લાગે છે અને પાણીમાં એવું શું હોય છે, જેના કારણે લોખંડને ઝડપથી કાટ લાગે છે અને લોખંડ ખતમ થઈ જાય છે. મોટા ભાગના લોકો ધ્યાન આપતા નથી, પરંતુ જો તમે યાદ કરો તો લોખંડની નવી વસ્તુ ચળકતી હોય છે, પરંતુ તે એક જગ્યાએ રાખવામાં આવેલ ભેજને કારણે ધીમે-ધીમે તેમાં લાલિમા યુકત લાલ પડ ચઢી જાય છે જેને કાટ કહેવામાં આવે છે. આ જ પ્રક્રિયાને કાટ લાગવી કહેવામાં આવે છે. પહેલા રંગ બદલાય છે અને પછી કાટ દેખાવા લાગે છે.

લોખંડ પર કાટ લાગવાના મુખ્ય કારણો ઓક્સિજન અને ભેજ

લોખંડને એક મજબૂત ધાતુ માનવામાં આવે છે પરંતુ જ્યારે તેના પર કાટ લાગી જાય છે ત્યારે તે કોઈ કામનું રહેતું નથી. બાળપણમાં આપણે વિજ્ઞાનના પુસ્તકોમાં તેને સંક્ષારણ (Corrosion) વાંચ્યા કરતા હતા. એટલે કે, જ્યારે લોખંડ ઓક્સિજન અને ભેજના સંપર્કમાં આવે છે, ત્યારે લોખંડ તેની સાથે પ્રતિક્રિયા કરીને કેટલાક અનિચ્છનીય સંયોજનો બનાવી લે છે અને લોખંડ બગડવા લાગે છે અને તેના કારણે તેનો રંગ પણ બદલાઈ જાય છે, તેને લોખંડ પર કાટ લાગવું કહેવામાં આવે છે.

સંક્ષારણનો શું અર્થ હોય છે?

સંક્ષારણ (Corrosion) નો અર્થ છે ધીરે ધીરે ખત્મ થઇ જવું. જયારે કોઈ ધાતુ ભેજના સંપર્કમાં આવે છે. ત્યારે સંક્ષારણ થઇ જાય છે. લોખંડનું સંક્ષારણ એક ગંભીર સમસ્યા છે. ફક્ત લોખંડ પર જ નહિ પરંતુ, ચાંદી પર પણ કાળી પરત ચઢી જાય છે, જ્યારે તાંબા પર પણ લીલા રંગની પરત ચઢવી પણ સંક્ષારણ કહેવાય છે. સંક્ષારણને રોકવા માટે, લોખંડ અથવા અન્ય ધાતુઓને ભેજથી બચાવીને રાખવા જોઈએ. આનાથી લોખંડની લાઈફ ઘણી વધી જાય છે.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago