મનોરંજન

કાજોલ અને અજય દેવગણ ના લગ્નની વિરૂદ્ધ હતા અભિનેત્રીના પિતા, કારકીર્દિને લઈને મનમાં હતી ચિંતા…

બોલિવૂડમાં જ્યારે શક્તિશાળી કપલની વાત આવે છે, ત્યારે અજય દેવગન અને કાજોલનું નામ પ્રથમ લેવામાં આવે છે. આ જોડીને લોકોએ ઓનસ્ક્રીન અને ઓફસ્ક્રીન બંને જગ્યાએ પસંદ કરી છે. આવી સ્થિતિમાં, એમ કહેવું ખોટું નહીં થાય કે સમય સાથે તેમનો સંબંધ ખૂબ જ મજબૂત બની ગયો છે.

તમને જણાવી દઈએ કે બંનેએ 24 ફેબ્રુઆરી 1999 ના રોજ લગ્ન કર્યા હતા અને તેમના લગ્નજીવનને 21 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. હસ્ટલ ફિલ્મના સેટ પર બંનેની પ્રથમ મુલાકાત થઈ હતી. અજય ને મેળવવા માટે કાજોલને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. હકીકતમાં કાજોલના પિતા શોમો મુખર્જી આ લગ્નથી ખુશ નહોતા. કાજોલના પિતા ઇચ્છતા ન હતા કે કાજોલ તે સમયે અજય દેવગન સાથે લગ્ન કરીને સ્થાયી થાય.

આનું કારણ કાજોલે પોતે એક ઇન્ટરવ્યુમાં આપ્યું હતું. કાજોલે કહ્યું હતું કે પિતા ઇચ્છતા નહોતા કે હું મારા લગ્નનો 24 વર્ષની ઉંમરે નિર્ણય કરીશ અને મારી ફિલ્મી કેરિયરને દાવ પર લગાવી દઇશ. પરંતુ કાજોલે તેના પિતાની વિરૂદ્ધ જઈને અજય સાથે લગ્ન કર્યા હતા.

અજય સાથે લગ્ન કરવાનો કાજોલનો નિર્ણય સાચો સાબિત થયો. બંનેનાં લગ્ન મરાઠી રિવાજો સાથે થયાં હતાં. અજય કાજોલના લગ્નમાં બોલીવુડના થોડા જ લોકો આવ્યા હતા.

અજય સાથે લગ્ન કર્યા બાદ કાજોલે ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ રાખ્યું હતું. લોકોને લાગ્યું કે હવે કાજોલની કારકિર્દી પૂરી થઈ ગઈ છે પરંતુ લગ્ન પછી પણ તેને ઘણી ફિલ્મોમાં અભિનય માટે એવોર્ડ આપવામાં આવ્યો હતો. અજયે ક્યારેય કાજોલને ફિલ્મોમાં કામ કરવાનું ના પાડી નહોતી.

2003 માં, કાજોલે પુત્રી ન્યાસાને જન્મ આપ્યો હતો. પુત્રી પછી, તેણે ફરીથી સ્ક્રીન પર પ્રવેશ કર્યો. 2011 માં, કાજોલ બીજી વખત માતા બની અને પુત્ર યુગને જન્મ આપ્યો. જોકે આજે આ યુગલો સારી રીતે લગ્ન જીવન જીવી રહ્યા છે.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago