જુલાઈમાં ખાદ્યતેલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. સરકારી આંકડા મુજબ જુલાઈ 2020 ની સરખામણીમાં જુલાઈ 2021 માં 52 ટકા સુધીનો વધારો થયો છે.
રાજ્યસભામાં ખાદ્ય અને ઉપભોક્તા બાબતોના રાજ્યમંત્રી અશ્વિની કુમાર ચૌબેએ જણાવ્યું હતું કે, કોવિડ -19 રોગચાળાને પગલે કઠોળ, ખાદ્યતેલ જેવી આવશ્યક ખાદ્ય ચીજોના ભાવમાં વધારો રોકવા માટે સરકારે અનેક પગલાં લીધા છે. મંત્રી દ્વારા જાહેર કરેલા આંકડા મુજબ, સીંગતેલના સરેરાશ માસિક છૂટક ભાવમાં જુલાઈ ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં 19.24 ટકાનો વધારો થયો છે.
27 જુલાઈ 2021 સુધીના આંકડા: જુલાઈમાં સરસવના તેલના ભાવમાં 39.03 ટકા, શાકભાજીમાં 46.01 ટકા, સોયા તેલના 48.07 ટકા, સૂર્યમુખીના તેલ 51.62 ટકા અને પામ તેલના 44.42 ટકાના ભાવમાં વધારો થયો છે. નવા આંકડા 27 જુલાઈ 2021 ના છે.
સરકારે ડ્યૂટીમાં ઘટાડો કર્યો: ચૌબેએ કહ્યું કે ખાદ્ય તેલોની કિંમતો ઘટાડવા માટે ક્રૂડ પામ ઓઇલ (CPO) પર 30 જૂન 2021 થી 30 સપ્ટેમ્બર 2021 સુધી ડ્યુટી 5 ટકા ઘટાડવામાં આવી છે. આ ઘટાડાથી સીપીઓ પર અસરકારક કર દર અગાઉના 35.75 ટકાથી ઘટીને 30.25 ટકા કરવામાં આવ્યો છે. આના સિવાય શુદ્ધ પામ તેલ, પામોલિન પરની ડ્યૂટી 45 ટકાથી ઘટાડીને 37.5 ટકા કરવામાં આવી છે.
70 ટકા આયાત ભારત કરે છે: તેમણે કહ્યું કે રિફાઈન્ડ બ્લીચડ ડિઓડોરાઈઝ્ડ (આરબીડી) પામ ઓઈલ અને આરબીડી પામોલિન માટે એક સંશોધિત આયાત નીતિ 30 જૂન, 2021 થી અમલમાં મુકવામાં આવી છે. જે અંતર્ગત આ વસ્તુઓને પ્રતિબંધિતમાંથી મુક્ત શ્રેણીમાં ખસેડવામાં આવી છે. ભારત તેની કુલ ખાદ્યતેલની જરૂરિયાતના 60-70 ટકા આયાત કરે છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…