ટેક્નોલોજી

જિયોના આ પ્લાનમાં તમને વર્ષના રિચાર્જ સાથે મળી રહ્યા છે અનેક ફાયદાઓ

આજના સમયમાં ઈન્ટરનેટ આપણી ખાસ જરૂરિયાત બની ગઈ છે. આજે આપણે ઘણા મહત્વપૂર્ણ કાર્યો માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ. આપણા દ્વારા શિક્ષણ, વ્યવસાય, મનોરંજન, બ્રાઉઝિંગ વગેરે જેવી ઘણી વસ્તુઓ માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં આવે છે. તેમ છતાં ઘણી વખત મોબાઈલમાં પ્લાન રિચાર્જ કર્યા પછી તેની વેલિડિટી ખૂબ જ ઝડપથી સમાપ્ત થઈ જાય છે. આવી સ્થિતિમાં, તમારે તેને ફરીથી રિચાર્જ કરાવું પડે છે. ગ્રાહકો વારંવાર મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટથી હેરાન થાય છે. જો તમે Jio ની ટેલિકોમ સેવાઓનો ઉપયોગ કરી રહ્યા છો, તો આજે અમે તમને Jio ના તે શાનદાર રિચાર્જ પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં તમને સંપૂર્ણ 1 વર્ષની વેલિડિટી મળે છે. આ પ્લાન્સમાં લાંબી વેલિડિટી સિવાય, તમને OTT પ્લેટફોર્મની મજા પણ મળી રહી છે. ચાલો Jio ના આ લાંબા વેલિડિટી રિચાર્જ પ્લાન વિશે વિગતવાર જાણીએ –

જિયોનો 2999 રૂપિયાનો રિચાર્જ પ્લાન
Jio ના આ રિચાર્જ પ્લાનમાં તમને કુલ 365 દિવસની વેલિડિટી મળી રહી છે. આ રિચાર્જ પ્લાનની કિંમત 2999 રૂપિયા છે. તેમાં તમને ઇન્ટરનેટ વપરાશ માટે દરરોજ 2.5 GB ઇન્ટરનેટ ડેટા મળે છે.

તેના સિવાય આ પ્લાનમાં તમને Disney Plus Hotstar નું સબસ્ક્રિપ્શન પણ મળી રહ્યું છે. આ પ્લાનમાં અનલીમીટેડ વોઈસ કોલિંગ સાથે દરરોજ 100 SMS ની સુવિધા પણ મળે છે.

જિયોનો 2879 રૂપિયાનો રિચાર્જ પ્લાન

Jioના આ રિચાર્જ પ્લાનની કિંમત 2879 રૂપિયા છે. તેમાં તમને કુલ 365 દિવસની વેલીડીટી મળી રહી છે. પ્લાનમાં, તમને ઇન્ટરનેટ વપરાશ માટે દરરોજ 2 GB ઇન્ટરનેટ ડેટા મળે છે.

તેના સિવાય તમને અનલીમીટેડ કોલિંગ સાથે દરરોજ મેસેજિંગ માટે 100 SMSની સુવિધા પણ મળે છે. જો તમે લાંબી વેલિડિટી માટે સારો રિચાર્જ પ્લાન પણ શોધી રહ્યા છો, તો તમે આ વિકલ્પો સાથે જઈ શકો છો.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago