ગુજરાત

સાસણ અને ગીરના જંગલમાં છેલ્લા બે વર્ષમાં 254 સિંહ અને 333 દીપડાનું થયું અકાળે મોત

સાસણ અને ગીરના જંગલમાં છેલ્લા બે વર્ષમાં 254 સિંહ અને 333 દીપડાનું થયું અકાળે મોત

છેલ્લા બે વર્ષમાં ગુજરાતના સાસણ અને ગીરના જંગલોમાં 254 સિંહ અને 333 દીપડાઓના અકાળે મોત થયા છે. ગુજરાત વિધાનસભામાં વનમંત્રી કિરીટસિંહ રાણાએ એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં સાસણ અને ગીરમાં 254 સિંહોના મોત થયા છે. મૃત્યુના મુખ્ય કારણોમાં કુદરતી, સિંહની લડાઈ, રોગ, કૂવામાં પડવું અને માલગાડીની ટક્કર ને કારણે થયું હોવાનું જાણવવામાં આવ્યું હતું. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાઓ શહેરોમાં ઘૂસી જવાના બનાવો પણ સામે આવી રહ્યા છે. જે છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં 333 જેટલા દીપડાઓના મોત થયા છે. આ મામલે વનમંત્રીના જણાવ્યા અનુસાર ગીર અભ્યારણમાં 345 સિંહો અને તેની બહારના જંગલ વિસ્તારમાં 329 સિંહો છે. તેમણે કહ્યું કે સિંહોને કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસના સંક્રમણથી બચાવવા માટે તેમને રસી આપવામાં આવશે.

વન વિભાગે 2020માં 334 લોકોને ગીરના જંગલમાં ગેરકાયદેસર રીતે પ્રવેશતા પકડ્યા

આ રસીની શોધ ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર દ્વારા કરવામાં આવી છે. ક્લિનિકલ ટ્રાયલ સફળ થયા બાદ સિંહોને આ રસી આપવાની કામગીરી શરૂ કરવામાં આવશે. 2020માં વન વિભાગે ગીરના જંગલમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવા બદલ 334 લોકોની ધરપકડ કરી હોવાનું જણાવ્યું છે. અને શિકારના આઠ કેસ પણ નોંધાયા હતા. સાસણ અને ગીરના જંગલોમાં ચાર હજારથી વધુ કુવાઓ બનાવવામાં આવ્યા છે જે સિંહોના મૃત્યુનું મુખ્ય કારણ બની રહ્યું છે.

જો કે, ધારાસભ્ય ગોવિંદ પટેલે વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવ્યો હતો કે ગીર અભયારણ્યને કેટલી આવક થઈ છે. જે છેલ્લા બે વર્ષમાં સાડા સાત લાખ જેટલા પ્રવાસીઓએ સારણ અને ગીરના જંગલોની મુલાકાત લીધી હતી, જેનાથી વિભાગને 15 કરોડ રૂપિયાની આવક થઈ હતી. અહીં, ઓગસ્ટ 2021 સુધીમાં, ગુજરાતમાં એશિયાટિક સિંહોની સંખ્યા વધીને 674 થઈ ગઈ હતી. સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે સરકારે જનજાગૃતિ સાથે લાયન પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. વિશ્વમાં એકમાત્ર ગુજરાતના સાસણ અને ગીરના જંગલોમાં એશિયાટીક સિંહોનું રહેઠાણ છે અને હવે તેમની સંખ્યા 674 પર પહોંચી ગઈ છે. જે છેલ્લા છ વર્ષમાં અહીં સિંહોની સંખ્યામાં 29 ટકાનો વધારો થયો છે.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago