ક્રાઇમ

અમદાવાદમાં એક જ પરિવારના 4 લોકોની હત્યા, દુર્ગંધ આવતા થયો ખુલાસો

અમદાવાદમાં એક જ પરિવારના 4 લોકોની હત્યા, દુર્ગંધ આવતા થયો ખુલાસો

રાજ્યમાં સતત ક્રાઇમના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. જાણો પોલીસનો ડરનો હોય તેમ આવા તત્વો બેફામ બન્યા છે. જેના કારણે સામાન્ય લોકો ચિતામાં વધારો થઇ રહ્યો છે. જે રાજ્યમાં સૌથી વધારે હત્યાના બનાવો અમદાવાદ શહેરમાંથી સામે આવી રહ્યા છે. ત્યારે આજે પણ વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જે અમદાવાદમાં એક જ પરિવારના 4 લોકોની હત્યાનો મામલો સામે આવ્યો છે. પોલીસને આશંકા છે કે ઘરના ઝઘડામાં આ હત્યાકાંડ કરવામાં આવી હોઈ શકે છે. હાલ પોલીસે શંકાના આધારે પરિવારના એક સભ્યની શોધખોળ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ, શહેરના ઓઢવ વિસ્તારની દિવ્યપ્રભા સોસાયટીમાં એક ઘરમાંથી દુર્ગંધ આવી રહી હતી. સ્થાનિક નાગરિકોએ આ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે જ્યારે ઘરનું તાળું તોડ્યું તો તેણે ઘરના અલગ-અલગ રૂમમાં ચાર મૃતદેહ મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં 4 દિવસ પહેલા ચાર લોકોની હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

પોલીસે એવી આશંકા વ્યક્ત કરી છે કે ઘરમાં ઝઘડા બાદ હેડમેન વિનોદ મરાઠી તેની પત્ની સોનલ મરાઠી, પુત્રી પ્રગતિ, પુત્ર ગણેશ અને સાસુ સુભદ્રાની હત્યા કરીને ભાગી ગયો છે.

મૃતકોની યાદી

1. સોનલ બેન પત્ની
2. પ્રગતિ બેન છોકરી
3. ગણેશ ભાઈ છોકરો
4. સુભદ્રા બેન દાદી

ખરેખરમાં, વિનોદ મરાઠી ઘટનાસ્થળેથી ફરાર છે, તેથી તેના પર પોલીસની શંકા વધુ પ્રબળ બની રહી છે. પોલીસની ટીમોએ આરોપીને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે. હાલ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને પંચનામા કર્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.

અમદાવાદના જેસીપી ગૌતમ પરમારે જણાવ્યું કે મૃતકોના મૃતદેહને પીએમ માટે મોકલવામાં આવી રહ્યા છે. પોલીસ આ કેસમાં ઘરેથી પુરાવા એકત્ર કરી રહી છે. તેમજ શંકાસ્પદ આરોપીઓને પકડવા માટે ટીમો બનાવવામાં આવી છે. ટૂંક સમયમાં પોલીસ આ મામલે ખુલાસો કરશે.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago