સ્વાસ્થ્ય

કબજિયાત થી છો પરેશાન, તો આજે જ આ વસ્તુઓથી બનાવી લો અંતર, નહીં તો વધી શકે છે સમસ્યા!

કબજિયાત થી છો પરેશાન, તો આજે જ આ વસ્તુઓથી બનાવી લો અંતર, નહીં તો વધી શકે છે સમસ્યા!

પેટની સમસ્યા દરમિયાન, તમારે આવા ઘણા ખોરાકનું સેવન કરવાનું ટાળવું જોઈએ જેથી કરીને તમારી સમસ્યા વધારે ન વધી જાય. ક્યારેય તમે આ વાત પર ધ્યાન આપ્યું છે કે ઘણા એવા ફુડ્સ હોય છે, જેનું સેવન જો તમે પેટની સમસ્યા દરમિયાન કરો છો, તો તમને વધુ પરેશાની થવાનો અહેસાસ થવા લાગે છે.

પેટની સમસ્યા જેમ કે – કબજિયાત, ઝાડા, પેટનું ફૂલવું, એસિડિટી વગેરે. આ સમસ્યાઓ દરમિયાન કેટલાક ફુડ્સનું સેવન બંધ કરવું તમારા માટે ફાયદાકારક હોઈ શકે છે. કેટલાક એવા ખાદ્ય પદાર્થ હોય છે જે તમને ઘણા સ્વાસ્થ્ય લાભો આપતા હશે, પરંતુ પેટની સમસ્યા દરમિયાન તેનું સેવન કરવું તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં, તમારે ખાવામાં ખૂબ કાળજી લેવાની જરૂર છે. ચાલો જાણીએ કે પેટની સમસ્યા હોય તો કયા ખોરાકનું સેવન ન કરવું જોઈએ.

ડેરી ઉત્પાદનો:

ડેરી ઉત્પાદનો બે કારણોસર સમસ્યાને વધારી શકે છે. પહેલું, તેમાં ચરબી હોય છે જે ઝાડાને વધારે છે અને બીજું, પેટની સમસ્યાવાળા લોકોને લેક્ટોઝ અસહિષ્ણુતા હોય છે અને ડેરી ઉત્પાદનોમાં લેક્ટોઝ હાજર હોય છે. તેથી, પેટની સમસ્યાઓ દરમિયાન તેનું સેવન ન કરો.

તળેલા ખોરાક:

સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે કબજિયાતની સમસ્યાને કાબૂમાં રાખવા માટે સૌથી જરૂરી છે કે ખોરાક પર ધ્યાન આપવું. તળેલા ખાદ્યપદાર્થોમાં ચરબીનું પ્રમાણ વધુ હોય છે, જે તમારા પેટની સમસ્યાને વધારે છે અને સાથે જ તેને પચાવવામાં પણ થોડું મુશ્કેલ હોય છે.

કેફીનયુક્ત પીણાં:

કેફીનયુક્ત પીણાં જેમ કે કૉફી તમારા ઝાડાની સમસ્યાને વધારી શકે છે. આ સિવાય કોફી, સોડા અને એનર્જી ડ્રિંક્સમાં કેફીન હોય છે જે તમારી પેટની સમસ્યાને વધારે છે અને પેટમાં વધુ ગેસ ઉત્પન્ન કરે છે. આખા દિવસ દરમિયાન ઓછામાં ઓછું 3 લિટર પાણી પીવો અને ફાઇબરયુક્ત ખોરાક લો.

પ્રોસેસ્ડ ફૂડ:

પ્રોસેસ્ડ ફૂડમાં એડિટિવ્સ અને પ્રિઝર્વેટિવ્સ હાજર હોય છે જે પેટની સમસ્યાને વધારે છે. ઘણા એવા પ્રોસેસ્ડ ફૂડ હોય છે જેમાં ફેટ વધુ માત્રામાં હોય છે જેના કારણે ગેસની સમસ્યા થઇ જાય છે. આવી સ્થિતિમાં જે લોકો કબજિયાતથી પરેશાન છો તેમને તેમના સેવનથી બચવું જોઈએ.

ચોકલેટ:

ચોકલેટમાં ખાંડનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે, જેનું સેવન જો કબજિયાત કે ગેસની સમસ્યા દરમિયાન કરવામાં આવે તો આ સમસ્યાને વધારી શકે છે. આ ઉપરાંત ચોકલેટમાં કેફીન પણ હોય છે જે તમારી પેટની સમસ્યાને પ્રોત્સાહન આપે છે અને તમારી પરેશાની પણ વધારે છે. દવાઓના ઉપયોગથી પણ કબજિયાત થઈ શકે છે, તેથી તેનો ઉપયોગથી બચવું જોઈએ.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago