દેશ

બે જૂથો ઝઘડી રહ્યા હતા તેમને થાળે પાડવા એક આધેડ વચ્ચે પડ્યા તો….

બે જૂથો ઝઘડી રહ્યા હતા તેમને થાળે પાડવા એક આધેડ વચ્ચે પડ્યા તો....

બિહારના સીતામઢી જિલ્લાના નાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ચૌપર કાલા ગામમાં એક આધેડને માર મારીને હત્યા કરી દેવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ગામમાં જ બે પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો, કૈલાશ રાય બંને પક્ષોને શાંત કરવા માટે ગયા હતા, પરંતુ એક પક્ષના લોકો દ્વારા તેને મારવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું. ઘટના સોમવારે સવારે 10 વાગ્યે બની હોવાનું સામે આવ્યું છે. ગામના લોકોએ ગંભીર હાલતમાં કૈલાશ રાયને પીએચસીમાં દાખલ કર્યો, જ્યાં તેનું મૃત્યુ થઈ ગયું હતું.

ઘટના વિશે જણાવવામાં આવી રહ્યું છે કે, ગામમાં બંને પક્ષો વચ્ચે જમીનને લઈને વિવાદ ચાલી રહ્યો હતો, કૈલાશ રાય ત્યાં પહોંચ્યા અને બંને પક્ષોને સમજાવવાનો પ્રયાસ કર્યો, આ દરમિયાન એક પક્ષના લોકોએ કૈલાશ રાય પર લાકડી વડે હુમલો કરી દીધો હતો. પોતાના પર હુમલો કર્યો, જેના કારણે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા બાદ જમીન પર જ ઢળી પડ્યા હતા. ગામના લોકો તેમને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા, પરંતુ ત્યાં સુધીમાં તેમનું મોત થઈ ગયું હતું.

મૃતક કૈલાશ રાયના પુત્ર સંજીત રાયે જણાવ્યું છે કે, જમીનના વિવાદને લઈને બંને પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો, તેના પિતા મામલો થાળે પાડવા માટે ત્યાં ગયા હતા, તે દરમિયાન ગામના વેપારી લાલાબાબુ રાય તેના સહયોગીઓ સાથે હુમલો કરી દેવામાં આવ્યો હતો. તેમને જણાવ્યું કે, ડીલર લાલાબાબુ રાયથી તેમના પિતાનો પહેલા કોઈ વાતને લઈને વિવાદ થયો હતો.

જયારે આ ઘટનાને લઈને એસએચઓ રામવિનય પાસવાને જણાવ્યું હતું કે, મૃતદેહને કબજે લેવામાં આવ્યો છે અને પોસ્ટમોર્ટમ માટે સીતામઢી સદર હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો છે. આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે, અન્ય આરોપીઓને પકડવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago