સમાચાર

ગુજરાતમાં આટલી કિંમતે કરવામાં આવ્યું ભેંસનું વેચાણ, જોતજોતામાં માલિક બની ગયો લખપતિ…

આપણી આજુબાજુ એવી ઘણી ઘટનાઓ બનતી હોય છે, જેના વિશે જાણ્યા પછી આપણે વિશ્વાસ કરી શકતા નથી. આવી જ એક ઘટના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે આ સમગ્ર ઘટના ગુજરાત રાજ્યની છે, જેમાં એક ભેંસનો માલિક ભેંસ વેચીને લાખોપતિ બની ગયો છે. તો ચાલો આપણે જાણીએ કે સમગ્ર મામલો શું છે.

કચ્છ ભુજના કુનરિયામાં એક ભેંસ 5 લાખ 11 હજાર રૂપિયામાં વેચાઈ છે. જે સરેરાશ રીતે બહુ મોટી રકમ છે. આ ભેંસ ને સુરતના એક વ્યક્તિએ ખરીદી છે. કોઈપણ ભેસની કિંમત 5.11 લાખ હોવાનો આ પહેલો દાખલો છે. આ ભેંસ વિશે વાત કરીએ તો ટુંકુ મોઢું, ટુંકી પૂંછડી, લાંબી ગરદન આ ભેંસની ખાસિયત છે અને વધારામાં આ ભેંસ 23 લિટર દૂધ આપે છે.

ભુજના આ પશુપાલક અશોકભાઈ આહિરે આ ભેંસ 5.11 લાખની કિંમતે સુરતના રહેવાસી કાળુભાઇ માલધારીને વેચી દીધી હતી. આ ભેંસ માટે વચ્ચે રહેલા દલાલ કહે છે કે હું ઘણા વર્ષોથી મારા પિતાની જેમ દલાલનો ધંધો કરું છું પંરતુ આ ભેંસની કિંમત જેટલી આવી એટલી મેં કોઈ ભેંસ ખરીદતા કે વેચતા જોઈ નથી અને આ પહેલો કિસ્સો છે.

અશોકભાઈ કહે છે કે આ ભેંસ એકદમ શાંત છે, જ્યારે આપણે દોહવા બેસીએ છીએ ત્યારે તેના પગ થાંભલા જેવા બની જાય છે, જ્યાં સુધી દૂધ દોહી ના લઈએ ત્યાં સુધી ભેંસ પગને સહેજ પણ હલાવતી નથી. આ સાથે આ ભેંસ સવારે અને સાંજે 23 લિટર દૂધ આપે છે.

ભેંસ ખરીદનાર કાળુભાઇ કહે છે કે મારી પાસે 500 જેટલી ભેંસો છે અને હું અવારનવાર કચ્છ આવીને ભેંસો ખરીદતો હોવ છું. મારી પાસે પાંચ પાંચ લાખની ઘણી ભેંસો છે. તેઓ કહે છે કે આ ભેંસ ખરીદવા પાછળનું કારણ એ છે કે આ ભેંસ કુંઢી નસ્લની જાતવાન ભેંસ છે. જે મળવી ખૂબ મુશ્કેલ છે. હાલમાં આ ભેંસ 7 વર્ષની છે અને આવી ભેંસ ભાગ્યે જ જોવા મળે છે.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago