સમાચાર

હાઇકોર્ટે રાજ્ય સરકાર ને કોરોના સંક્રમણ રોકવા માટે 3-4 દિવસ ના લોકડાઉન લાદવાનો કર્યો નિર્દેશ, સાંજ સુધી માં શું નિર્ણય લેવાય તેની રાહ

કોરોના કેસ મહાનગરો માં દિવસેને દિવસે ખૂબ જ વધવા માંડ્યા છે. હવે તો નાના બાળકોમાં પણ સંક્રમણનો ભય વધી ગયો છે. એક બાજુ રસીકરણ નો કાર્યક્રમ ચાલુ છે અને બીજી બાજુ નવા નવા કોરોના ના દર્દીઓ આવતા જાય છે. આ દરમિયાન રાજ્યમાં કોરોના વધતા કેસ ને જોઈને હાઈ કોર્ટે રાજ્ય સરકારને ત્રણ થી ચાર દિવસ લોકડાઉન ની ટકોર કરી છે.

હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ કારીઆની ખંડપીઠનો સરકારને નિર્દેશ કર્યો છે કે રાજ્યસરકાર ને રાજકીય કાર્યક્રમો પર પણ રોક લગાવવા માટે ટકોર કરી છે. સાથેસાથે કોરોના ની વર્તમાન સ્થિતિ ને ધ્યાન માં લઈ ને આગામી જે વિકેન્ડ આવે ત્યારે લોકડાઉન ની ટકોર કરવા માં આવી છે. માટે કહી શકાય કે રાજ્ય સરકાર હાઇકોર્ટ ના આ નિર્દેશ બાબતે વિચારણા કરી ને રાજ્ય માં કે મહાનગરો માં લોકડાઉન નાખી શકે તેવી શક્યતા છે.

કોરોના ના આ સંક્રમણની ચેઇનને વધતી અટકાવી જરૂરી છે. ગુજરાત રાજ્ય માં આગામી ત્રણથી ચાર દિવસનો કર્ફ્યૂ લાદવા અને શનિ રવિ ના દિવસે કર્ફ્યૂ બાબતે સરકાર જરૂરી નિર્ણય લે એવી હાઇકોર્ટે ટકોર કરી છે. વધતા સંક્રમણથી સાવચેત થયેલાં ઘણા શહેરો અને ગામડાંએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે.

ઈન્ડિયન મેડિકલ એસોસિયેશને પીએમ મોદીને લેટર લખી ને કહ્યું કે અત્યારે કોરોના સંક્રમણને કાબૂમાં લેવા માટે રસીકરણ જ  એકમાત્ર ઉપાય છે. પત્રમાં એસોસિયેશને પત્ર દ્વારા સરકારને જણાવ્યું છે કે રાજ્યમાં દરેક જગ્યાએ રસીકરણ માટેના સેન્ટર ઊભાં કરીને લોકો માટે ફટાફટ રસી મળે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે.

આપણા રાજ્ય માં  એક બાજુ રાત્રિ કર્ફયૂ ને કારણે વેપારી વર્ગ અકળાઈ રહ્યો છે. અને બીજી બાજુ ઘણા શહેરોમાં સ્વેછીક લોકડાઉન અપનાવવાની સ્થિતિ શરૂ થઈ ગઈ છે. હકીકત માં રાત્રિ કર્ફ્યૂ ને કારણે ઘણા વેપારીઓ ને નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago