મિત્રો આજકાલ દૈનિક જીવન માં વપરાતા ઇલેક્ટ્રિક સાધનો સાથે આપણે એટલા બધા ગૂચાઈ ગયા છીએ કે તેના વગર એક પણ દિવસ ચાલે નહી. પરંતુ જેટલી સુવિધા આ બધા ઉપકરણો આપણને આપે છે તે આપણા સ્વસ્થ્ય માટે પણ એટલાજ હાનિકારક છે. ફ્રિજ પણ આવીજ એક વસ્તુ છે, કે જો તમે તેનો બરાબર ઉપયોગ ન કરો તો લાંબા સમયે પાછતાવા નો સમય આવે છે.
ફ્રીઝ માં પડેલા ખાદ્ય પદાર્થો ખાવાથી આપણે અનેક બીમારીઓ ને નોતરીએ છીએ સાથેસાથે આપણી રોગપ્રતિકારક શક્તિ નબળી પડતી જાય છે. પહેલાના સમયમા ઠંડુ પાણી કરવા માટે માટલાં નો ઉપયોગ કરવામાં આવે છે. આ પાણી આયુર્વેદમા શ્રેષ્ટ ગણાવ્યું છેે. પરંતુ આજે આ માટલાંઓ નું સ્થાન આપણે ફ્રિજ ને આપી દીધું છે. ફ્રીઝમાં ઠંડું પાણી તો થાય છે પરંતુ, સાથે જ તે વાયુ અને કફની બીમારીને પણ નોતરે છે. આ સિવાય કબજિયાત, તાવ, શરદી, શ્વાસ સાથે સંકળાયેલ સમસ્યાઓ, સસણી, કાકડાની સમસ્યા, બહેરાશની સમસ્યા, ખરજવુ, ધાધર અને ખંજવાળ જેવી અનેકવિધ સમસ્યાઓ ઉદ્ભવવા માટે પણ જવાબદાર છે.
ફ્રીજનો વધુ પડતો ઉપયોગ આપણા શરીર ને અનેકવિધ બીમારીઓ થી ઘેરી દે છે. ફ્રીજનુ ઠંડુ પાણી તથા ફ્રીજમા રાખેલી કોઈપણ વસ્તુનો ખુબ જ વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ નહીતર તે તમને જીવલેણ બીમારીનો શિકાર બનાવી શકે છે. જો તમે ફ્રીજમા રાખેલા ઠંડા પાણી, બરફ અને દહીંનો વધારે પડતો ઉપયોગ કરી રહ્યા છો તો તમને કફ તેમજ પિત્તની સમસ્યા નો સામનો કરવો પડશે.
ઘણી મહિલાઓ ફ્રીજમા વધેલી મીઠાઈ, શાક, છાશ અને અન્ય અનેકવિધ વસ્તુઓ મુકીને અમુક સમય પછી ગરમ કરીને તેને ખાય છે કારણકે તેમને ખ્યાલ નથી હોતો કે ફ્રીજમાં લાંબો સમય રાખીને પછી ઉપયોગમા લેવામા આવતી આ વસ્તુઓ તેમના માટે ઝેર સમાન સાબિત થઇ શકે છે. એક અગત્યની અને જાણવા જેવી વાત એ પણ છે કે, ફ્રીજમા રાખેલ વાસી ખોરાક વારંવાર ગરમ કરીને ખાવાથી તમે કેન્સર જેવી જીવલેણ સમસ્યા નો ભોગ પણ બની શકો છો માટે શક્ય બને તેટલો ફ્રિજ નો બને તેટલો ઓછો ઉપયોગ કરવો.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…