દેશ

ડુપ્લિકેટ રેમડેસીવીર ઇન્જેકશન વેચવાના મામલા મા ચાર શખ્શો ની કરવામા આવી ધરપકડ

કોરોના મહામારી મા દર્દીઓ નો જીવ બચાવવાં માટે ની દવા ને લઇ ને દેશભર મા અત્યારે કાળાબઝારીયાઓ ફાટી નીકળ્યા છે. ત્યારે મહારાષ્ટ્ર મા એક એવો કિસ્સો સામે આવ્યો છે કે તેને વાચી ને તમે કહેશો કે ખરેખર માનવતા મરી પરવારી છે. મહારાષ્ટ્ર પોલીસે ડુપ્લીકેટ રેમડેસીવીર ઇન્જેક્શન વેંચતા ચાર લોકો ની ધરપકડ કરી છે.

સમાચાર એજન્સી એ એન આઈ ના રિપોર્ટ મુજબ મહારાષ્ટ્ર પોલીસે પુણે માંથી 4 નારાધમો ની ધરપકડ કરી છે જે ખોટા ઇન્જેક્શન વેચી ને લોકો ની તબિયત સાથે ચેડાં કરી રહ્યા હતા. પુણે ગ્રામીણ પોલીસ ના અધિકારી નારાયણ શિરગાવકાર એ વધુ મા જણાવ્યું કે આ નરાધમો રેમડેસીવીર ઇન્જેક્શન મા પેરાસીટેમોલ ભરી ને વેંચતા હતા. તેમની પાસે થી 3 ઇન્જેક્શન મળી આવ્યા છે અને તેમની ધરપકડ કરવામાં આવી છે.

વધુ માં જણાવિએ તો શનિવારે કોરોના સંક્રમિત દર્દીઓ ની જીવ બચાવવાં વાળી દવા સપ્લાય કરવા વાળી એક કંપની બ્રુક ફાર્મા કંપની નો માલિક રાજેશ ડોકણીયા ને પોલીસે હીરાસત મા લીધો હતો. ત્યારબાદ મહારાષ્ટ્ર ના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફાડનવીસ બીજા નેતાઓ ની સાથે તાબડતોડ પોલીસસ્ટેશન પહોંચી ગ્યા હતા અને તેને છોડવાની માંગ કરી હતી. જાણકારી પ્રમાણે પોલીસ ને રેમડેસીવીર ઇન્જેક્શન ની કાળાબાઝારી ની ખબર મળતા પૂછતાછ માટે રાજેશ ને પકડી લાવવામા આવ્યો હતો.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago