Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
દેશસમાચાર

કોવિશીલ્ડ 780 રૂપિયા, કોવેક્સીન 1410, Sputnik V 1145, ખાનગી હોસ્પિટલો માટે કોરોના વેક્સીનની મહત્તમ કિંમત નક્કી

કેન્દ્ર સરકારે ખાનગી હોસ્પિટલો માટે કોરોનાવાયરસ વેક્સીન (Coronavirus Vaccine) ના મહત્તમ દર નિર્ધારિત કર્યા છે. કોવિશીલ્ડ (Covishield) ની કિંમત 780 રૂપિયા (600 વેક્સીનની કિંમત + 5% GST + સર્વિસનો ચાર્જ 150 રૂપિયા) પ્રતિ ડોઝ હશે. કોવેક્સીન (Covaccine)ની કિંમત 1410 રૂપિયા (1200 રૂપિયાની કિંમત + GST 60 રૂપિયા + સર્વિસ ચાર્જ 150) પ્રતિ ડોઝની કિંમત હશે. સ્પુતનિક-વીની કિંમત ખાનગી હોસ્પિટલો માટે 1145 રૂપિયા પ્રતિ ડોઝ (948 રૂપિયા વેક્સીન + 47 રૂપિયા GST + રૂ. 150 સર્વિસ ચાર્જ) હશે.

વેક્સીનનો દર નક્કી કરવાની સાથે દરરોજ નજર રાખવામાં આવશે. વધારે કિંમત વસૂલવા માટે ખાનગી કોવિડ રસીકરણ કેન્દ્ર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કેન્દ્ર સરકારે રાજ્યોને કહ્યું છે કે 150 રૂપિયા સર્વિસ ચાર્જ થી વધુ ખાનગી હોસ્પિટલો ના લે. તેની દેખરેખ રાજ્ય સરકારોએ રાખવી પડશે.

કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયે વેક્સીનના મહત્તમ દર નક્કી કરતી વખતે આ અંગે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મેમોરેન્ડમ મોકલ્યું છે.

નીતિ આયોગના સભ્ય ડૉ.વી.કે. પૉલે આજે જણાવ્યું કે કેટલાક રાજ્યોએ ગયા મહિને કહ્યું હતું કે રસીની ખરીદી કેન્દ્ર દ્વારા કરવામાં આવે. તેમણે કહ્યું કે કોવિશીલ્ડના 25 કરોડ ડોઝ ના ઓર્ડર અને કોવેક્સીનના 19 કરોડ ડોઝનો ઓર્ડર કંપનીને આપવામાં આવ્યા છે. આ એડવાન્સ ઓર્ડર આપવામાં આવ્યો છે, જેના માટે 30 ટકા ચુકવણી અગાઉથી આપવામાં આવશે. કેન્દ્ર સરકારે કુલ 74 કરોડ વેક્સીનના ડોઝ નો એડવાન્સ ઓર્ડર આપ્યો છે. ડૉ.વી.કે. પૉલે કહ્યું કે ઇ-બાયોલોજિકલ વેક્સીન સપ્ટેમ્બરમાં મળવાની આશા છે, જેના માટે 30 કરોડ ડોઝનો ઓર્ડર આપવામાં આવ્યો છે.

આરોગ્ય મંત્રાલયના અધિકારી લુવ અગ્રવાલે કહ્યું કે મિનિસ્ટ્રી ઑફ હેલ્થની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. ક્લિનિકલ મેનેજમેન્ટ સામેલ છે. એક વિગતવાર ચર્ચા કર્યા પછી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવે છે જે DGHS ની સાઇટ પર માર્ગદર્શિકા વિશ્લેષણના તબક્કે છે. અંતિમ માર્ગદર્શિકા મંત્રાલયની સાઇટ પર મૂકવામાં આવશે.

આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે ડીજીએચએસની જે માર્ગદર્શિકામાં કોરોના દર્દીઓની સારવારથી આઇવરમેક્ટિન, એચસીક્યુ, એન્ટિબાયોટિક્સને દૂર કરવામાં આવી છે, તે માર્ગદર્શિકા હજુ પણ કાર્યરત છે. ટાસ્ક ફોર્સ અને નિષ્ણાતો તેનું મૂલ્યાંકન કરી રહ્યા છે. નિર્ણય થયા પછી તે આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકા બનશે.

[quads id=1]

Related Articles

Back to top button