સવારમાં સામાન્ય રીતે ચાલવાથી શરીરમાં સ્ફૂર્તિ તો રહે જ છે, પરંતુ તેની સાથે ગેસ જેવી સામાન્ય લાગતી પરંતુ હાર્ટ એટેકને આવતા પણ દૂર થાય છે, શરીરની દરેક સમસ્યાઓ નાની બીમારી પણ દૂર થાય છે. ચાલવાથી શરીર તંદુરસ્ત રહે છે સવારમાં ઉઠતાં જ આળસ અવે તે દુર થાય છે અનેક કામમાં મન લાગે છે શરીરમાં ચાલવાથી ગેસ બનતો નથી છેવટે શરીર તંદુરસ્ત બને છે.
આમ તો લોકો આજકાલ જીમની સુવિધા આવી જવાથી બધા સવારનું ચાલવાનું ટાળે છે ટ્રૅડમિલ પર ચાલવા કરતાં પરંતુ સવારે ચાલવાનો બેસ્ટ ઓપ્શન છે, કુદરતી રીતે જમીન પર ચાલવાની પ્રકિયા ટ્રેડમિલ કરતા ઘણી સારી છે, ચાલવાથી માત્ર કૅલરી બનતી નથી, એનાથી શરીરને બીજા ઘણાબધા ફાયદા પણ થાય છે. શરીરને હેલ્ધી રાખવા માટે થોડીક ફિઝિકલ ઍક્ટિવિટી ખૂબ જરૂરી છે.
રોજ સવારે એકથી દોઢ કિલોમીટર જેટલું ચાલવાથી સામાન્ય વ્યક્તિની સરખામણીમાં તેની તંદુરસ્તી 50 ટકા સારી રહે છે.નિયમિત ચાલવાથી વ્યક્તિઓને લાંબું અને સ્વસ્થ જીવન પ્રાપ્ત છે.એક સંશોધન મુજબ સવારની એક્સરસાઇઝ કરવાથી કૅન્સર સામે રક્ષણ મળે છે.બ્રેસ્ટ કૅન્સર, કોલોન કૅન્સર, પ્ર્રોસ્ટેટ કૅન્સર, ફેફસાંનું કૅન્સર તેમ જ હાડકાંના કૅન્સરનું રિસ્ક નિયમિત ચાલવાથી ઘટે છે. જેમને કૅન્સર થઈ ચૂક્યું છે તેમના માટે ટ્રીટમેન્ટરૂપે પણ ચાલવાનું ફાયદાકારક ગણાય છે.
સવારમાં ચાલાવાથી શરીરમાં રક્તભ્રમણ સુધરવાથી રક્તવાહિનીઓની કાર્યક્ષમતા સુધરે છે.ચાલવાથી હૃદયમાં રક્તસંચાર નિયમિત થાય છે અને હૃદયની ધબકવાની ગતિ રિધમમાં આવતી જોવા મળે છે.ચાલવાથી રક્તવાહિનીઓમાં કૉલેસ્ટરોલ જમા થતો નથી. જેને લીધે હાર્ટડિસીઝ અને સ્ટ્રોકનું રિસ્ક ઘટે છે.મેદસ્વી લોકોને ડાયાબિટીઝ થવાનું જોખમ વધારે રહેલું હોય છે.ચાલવાથી વજન ઘટે છે અને ડાયાબિટીઝ થવાનું જોખમ પણ ઘટે છે.ચાલવાથી કફ અને સ્થુળતાનો નાશ થાય છે. જેટલુ ચાલવાથી શરીરને તકલીફ નથી પડતી તેટલુ ચાલવાથી આયુષ્ય, બળ, ઉર્જા વધે છે તેમજ ઇન્દ્રીયો પણ સચેત થાય છે.
સવારે ચાલવાથી શરીરનું વજન પણ ઓછું થાય છે અને ત્વચા પણ ખીલી ઉઠે છે.રોજ સવારે ખુલ્લા પગે ઘાસ પર ચાલવાથી ફ્રેશ ઓક્સિજન મળે છે, સવારના તડકામાં વિટામિન-ડીનું ભરપૂર પ્રમાણ હોય છે, આજના સમયમાં AC ઓફિસોમાં અને કામ ફરનારા લોકોને વિટામીન-D બહુ ઓછું મળે છે, જે શરીર માટે ખૂબ જરુરી છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…