ખોટા સમયે વધારે પડતી ચા પીવા વાળાઑ ને ખાસ આ વાંચવા જેવુ, વધી જશે બીમાર પડવાની સંભાવના
![](https://mediaassets-in.blr1.cdn.digitaloceanspaces.com/gujaratcoverage/2021/04/IMG-20210309-WA0048-640x337-1.jpg)
આપણે બધા જાણીએ છીએ કે ભારતમાં મોટાભાગનાં ઘરોમાં સવારની શરૂઆત ચાથી થાય છે, જ્યારે એ પણ સાચું છે કે ચાની ટેવ ધરાવતા લોકો તેના વિના રહી શકતા નથી. ઘણા લોકો એવા હોય છે જે એક દિવસમાં ચારથી પાંચ કપ ચા પીતા હોય છે, પરંતુ તમને જણાવી દઈએ કે વધારે ચા પીવી સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક સાબિત થઈ શકે છે, એટલું જ નહીં, ઘણા લોકો ચા પીવા કરતા તેને બનાવતી વખતે કેટલીક એવી ભૂલો કરે છે, જે તેમના સ્વાસ્થ્યને અસર કરે છે.
તમને જણાવી દઈએ કે સવારે ઉઠતાની સાથે કોઈએ ક્યારેય પણ ખાલી પેટ પર ચા ન પીવી જોઈએ. કારણ કે આવું કરવાથી તમારા સ્વાસ્થ્ય પર ખૂબ ખરાબ અસર પડે છે. મળતી માહિતી મુજબ જો તમે સવારે ઉઠો છો અને ખાલી પેટ પર ચા પીશો તો તે એસિડિટી અને કેન્સર જેવા ગંભીર રોગોનું કારણ બની શકે છે. એટલું જ નહીં ખાલી પેટ પર ચા પીવાથી વ્યક્તિની ઉંમર પણ ઓછી થઈ જાય છે, તેથી જ્યારે પણ તમે સવારે ચા પીવો છો તો પછી એક ગ્લાસ પાણી અથવા બિસ્કિટ ખાવ.
આ સિવાય જણાવી દઈએ કે આકસ્મિક રીતે જમ્યા પછી તરત ચા પીવી ન જોઈએ. કારણ કે તે તમારા સ્વાસ્થ્યને અસર કરે છે. જ્યારે પણ તમે ખોરાક લો છો, ત્યારે આપણું શરીર ખોરાકમાં રહેલા પોષક તત્ત્વોને શોષવા માટે થોડો સમય લે છે, પરંતુ જો તમે ખાધા પછી તરત જ ચા પીતા હોવ, તો તે તમારા ખોરાકના પોષક તત્વોને શોષી શકશે નહીં. જેના કારણે તમારા શરીરને સંપૂર્ણ પોષણ મળતું નથી. આવી સ્થિતિમાં, તમને ડાયાબિટીઝ જેવા રોગોની સંભાવના હોઇ શકે છે.
ઘણી વાર લોકો કડક ચા પીવાનું પસંદ કરે છે પરંતુ તેઓ જાણતા નથી કે ચાને વધુ ઉકાળવાથી તમને એસિડિટી જેવી સમસ્યા થઈ શકે છે. ઘણી લોકો ચામાં કાળા મરી, સુકા આદુ, તુલસી, એલચી, લવિંગ, મરી, જાયફળ વગેરે મસાલા નાખીને ચા બનાવે છે, પંરતુ તમને જણાવી દઇએ કે તે તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. એટલું જ નહીં તમને એ પણ જણાવી દઈએ કે ચામાં હાજર કેફીન આ મસાલાઓના ઔષધીય ગુણધર્મોને મારી નાખે છે અને તેની ખરાબ અસર આપણા શરીર પર પડવા લાગે છે.