દેશ

પ્રેમીકાને હોટલમાં મળવા બોલાવી અને બેભાન કરી આચર્યું સામૂહિક દુષ્કર્મ, કાર્યવાહી ના થતા પીડિતાએ ભર્યું એવું પગલું કે…..

પીલીભીતમાં સામૂહિક દુષ્કર્મના આરોપીની ધરપકડ ન થતાં એસપીને મળવા આવેલી પીડિતાએ પોલીસ લાઈનના ગેટ પર ઝેરી પદાર્થ ખાઈ લીધી હતી. બગડતી હાલત જોઈને પોલીસ કર્મચારીઓ દ્વારા તેને જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી. ત્યાં તેની હાલત હવે સામાન્ય છે.

2 જૂન 2022ના રોજ એક યુવતીએ સદર કોતવાલીમાં રિપોર્ટ નોંધાવી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, પુરનપુરના રહેવાસી મોહમ્મદ રેહાન ખાને તેને પોતાના પ્રેમ સંબંધમાં ફસાવી હતી. લગ્નના બહાને તેને હોટલમાં લઈ જઈ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. લગ્ન માટે પૂછવામાં આવતા તે હા ના કરવા લાગ્યો હતો.

15 મેના રોજ રેહાને લગ્નની વાત કરવા પુરનપુર બોલાવી હતી. બરેલીના રહેવાસી ઈઝહર ખાન, ઈમરાન ખાન, ફૈઝાન, જાવેદ પહેલાથી ત્યાં હાજર હતા. આરોપ છે કે, રેહાને પીડિતાને શરબતમાં નશીલો પદાર્થ ભેળવીને પીવડાવી દીધું હતું. ત્યારબાદ આરોપીઓએ તેની સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.

પીડિતાએ જણાવ્યું હતું કે, આરોપી રેહાને અશ્લીલ વીડિયો બનાવ્યો છે. પોલીસ સ્ટેશન જવા પર વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. કોઈક રીતે હિંમત ભેગી કરીને રિપોર્ટ દાખલ કરાવી તો પોલીસે આરોપીની ધરપકડ કરી નહોતી. યુવતીનું કહેવું છે કે, આરોપી રેહાને તેની સાથે લગ્ન કરવા જોઈએ અથવા તેને જેલમાં મોકલી દેવો જોઈએ.

આ મામલાને લઈને એસપી દિનેશ કુમાર પી નું કહેવું છે કે, પીડિતાએ થોડા દિવસ પહેલા તેના પ્રેમી વિરુદ્ધ રેપની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ આરોપીને પકડવા પ્રયાસ કરી રહી છે. મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. પીડિતાની હાલત હવે સારી છે.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago