ક્રાઇમ

BSF મોટી કાયર્વાહી, ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર કરોડોના ભાવના 40 સોનાના બિસ્કિટ ઝડપ્યા

BSF મોટી કાયર્વાહી, ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર કરોડોના ભાવના 40 સોનાના બિસ્કિટ ઝડપ્યા

ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર BSF ને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. BSF એ 2.42 કરોડની કિંમતના 40 સોનાના બિસ્કિટ જપ્ત કરવામાં આવ્યા છે. દાણચોરો ઉત્તર 24 પરગણા જિલ્લામાંથી સોનાના બિસ્કિટ ભારતમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ 40 સોનાના બિસ્કિટનું વજન 4.6 કિલો છે.

બુધવારના લગભગ 7.45 વાગ્યેના ડોબરપારા બોર્ડર આઉટપોસ્ટના એક જવાને ડ્યુટી દરમિયાન એક શંકાસ્પદ વ્યક્તિની ગતિવિધિ જોઈ હતી. જવાને તેને ઉભા રહેવાનું કહ્યું તો તે વ્યક્તિએ પોતાની પાસે રહેલ પોટલી ગીચ ઝાડીઓ ફેંકી દીધી અને તે ઈચ્છામતી નદીનો સહારો લઈને બાંગ્લાદેશ તરફ ભાગી ગયો હતો.

ત્યાં સુધીમાં ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તસ્કરની થેલી ખોલતાની સાથે જ તેમાંથી 40 સોનાના બિસ્કિટ મળી આવી હતા. જપ્ત કરાયેલા સોનાના બિસ્કિટ કસ્ટમ ઓફિસ પેટ્રાપોલને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સોંપવામાં આવ્યા છે.

દક્ષિણ બંગાળ ફ્રન્ટિયર પબ્લિક રિલેશન ઓફિસર અને ડીઆઈજી સુરજીત સિંહ ગુલેરિયાએ આ બાબતમાં જણાવ્યું છે કે, “સીમા સુરક્ષા દળ ભારત-બાંગ્લાદેશ સરહદે દાણચોરીને રોકવા માટે કડક પગલાં ભરી રહ્યું છે, જેના કારણે આવા ગુનાઓમાં સામેલ લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખોટા ઈરાદા ધરાવતા દાણચોરોને છોડવામ આવશે નહીં.

તેમણે જણાવ્યું છે કે, BSF જવાનોને દાણચોરોની દરેક મોડસ ઓપરેન્ડી વિશે ખાસ તાલીમ આપવામાં આવી રહી છે જેથી કરીને દાણચોરોની જાળ તોડી શકાય. આ જપ્ત કરાયેલા સોનાના બિસ્કિટ પાછળ કઈ સિન્ડિકેટ ગેંગનો હાથ છે તેની માહિતી એકઠી કરવા BSF ઈન્ટેલિજન્સ લાગી ગયા છે.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago