વાયરલ સમાચાર

બાઈક સવારોએ બેલેન્સ ગુમાવતાં ઘૂસી ગઈ ડાઇરેક્ટ ઘરમાં અને થયું કઇંક આવું- જુવો વિડિયોમાં

કોમેડિયન સુનિલ ગ્રોવરે શેર કર્યો વિડીયો

કોમેડિયન સુનીલ ગ્રોવર પોતાની બહેતરીન એક્ટિંગ સાથે કોમેડી ટાઈમિંગ માટે જાણીતા છે. સુનીલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે ફેન્સ માટે કેટલીયવાર મજેદાર વિડીયો અને ફોટોઝ શેર કરતા રહે છે. આ વિડીયોઝ તેમના ફેન્સ ખૂબ જ પસંદ કરે છે. તાજેતરના જ દિવસોમાં તેમણે શેર કરેલો એક વિડીયો વાયરલ થયો છે.

વિડીયોમાં બાઈક સવાર બે શખ્સ અચાનક તેજીથી આવે છે અને કોઈના ઘરમાં જ ઘુસી જાય છે. કોમેડિયને આ વિડયોને ફેસબુક પર શેર કર્યો છે. આ વિડીયો અત્યારે વાયરલ થયો છે. સુનીલ ગ્રોવરે આ વિડીયો શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કેઃ ‘पीया घर आया.’

વિડીયોમાં આપ જોઈ શકો છો કે, આ ઘરનો ગેટ ખુલ્લો હોય છે અને ત્યાં જ ત્યાં બાઈકસવારો આવે છે અને અચાનક તેનું બેલેન્સ બગડી જાય છે અને તે સીધો જ ઘરમાં ઘુસી જાય છે. માત્ર 9 સેકન્ડના આ વિડીયોને 24 કલાકથી પણ ઓછા સમયમાં સાત લાખથી વધારે લોકો જોઈ ચૂક્યા છે.

સોશિયલ મીડિયા પર આ વિડીયો લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. કેટલાય લોકોએ આના પર જોરદાર કમેન્ટ્સ પણ કરી છે. એક યુઝરે લખ્યું કે, મને લાગે છે કે, ઘરનું પાર્કીંગ કદાચ અંદર હશએ. ત્યાં બીજા યુઝરે લખ્યું કે, હે ભગવાન કોઈ તો બચાવી લો આમને. એક અન્ય યુઝરે લખ્યું કે, પાર્કિંગનો આ સ્ટંટ આ લોકો પાસેથી શીખવો પડશે.

Hardik

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago