મનોરંજન

ફિલ્મ ‘Bade Miyan Chote Miyan‘ ને લઈને સામે આવ્યા મોટા સમાચાર, સ્કોટલેન્ડ અને સાઉદી અરેબિયા સહિત આ દેશોમાં થઈ શકે છે શૂટિંગ

ફેબ્રુઆરીમાં, અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફે તેમની આગામી એક્શન ફિલ્મ ‘બડે મિયા છોટે મિયાં’ ની રિલીઝ તારીખની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારથી ચાહકો આ બંનેને સાથે જોવા માટે ઉત્સુક છે. આ દરમિયાન હવે આ ફિલ્મના શૂટિંગ સાથે જોડાયેલા એક સમાચાર સામે આવ્યા છે.

અલી અબ્બાસ ઝફર દ્વારા નિર્દેશિત આગામી ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ નું શૂટિંગ ક્યાં થશે તે અંગેના સમાચાર સામે આવ્યા છે. નામી ચેનલની એક રિપોર્ટ મુજબ એવું માનવામાં આવે છે કે, આ ફિલ્મનું શૂટિંગ સ્કોટલેન્ડ, austria avvai alps, સાઉદી અરબ અને લંડનમાં થઈ શકે છે. તેમ છતાં આ અંગે હજુ સુધી મેકર્સ તરફથી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. જ્યારે આ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, ફિલ્મનું શૂટિંગ જાન્યુઆરી 2023 માં શરૂ થઈ શકે છે.

બોલિવૂડના બે એક્શન હીરો અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ ‘બડે મિયા છોટે મિયા’ માં એકસાથે જોવા મળવાના છે, જેના કારણે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મ ઘણી સારી બનવાની છે, તે સાબિત થઈ શકે છે. તેની રિલીઝ ડેટની વાત કરીએ તો બંને કલાકારોએ તેની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ ક્રિસમસ 2023 ના અવસર પર જોવા મળશે.
જો કે, હવે એ જોવાનું રહેશે કે, ફિલ્મના શૂટિંગ સાથે જોડાયેલા આ સમાચારને લઈને મેકર્સ તરફથી શું અપડેટ બહાર આવે છે.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago