રમત ગમત

T-20 ક્રિકેટમાં ભુવનેશ્વર કુમારે રચ્યો ઈતિહાસ, આ મામલામાં વર્લ્ડ બધા બોલરોને છોડ્યા પાછળ

ભુવનેશ્વર કુમારે આયર્લેન્ડ સામે રમાઈ રહેલી બે મેચની સીરીઝની પ્રથમ મેચમાં ઈતિહાસ રચી દીધો છે. T20 ક્રિકેટમાં પોતાના શાનદાર પ્રદર્શનને ચાલુ રાખતા ભુવનેશ્વર કુમારે મેચની પ્રથમ ઓવરના પાંચમા બોલ પર આયર્લેન્ડના કેપ્ટન એન્ડ્ર્યુને પેવેલિયન પરત મોકલ્યો હતો. આ સાથે ભુવનેશ્વર કુમાર T20 ઈન્ટરનેશનલમાં પાવરપ્લે દરમિયાન સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે.

ભુવનેશ્વર કુમારે ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટિમ સાઉથીને પાછળ છોડીને આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ટિમ સાઉથીએ પાવરપ્લેમાં 33 વિકેટ લીધી છે. પરંતુ હવે ભુવનેશ્વર કુમારે ટી20 ક્રિકેટમાં પાવરપ્લે દરમિયાન 34 વિકેટ ઝડપી છે. વેસ્ટ ઈન્ડિઝનો ભૂતપૂર્વ સ્પિનર બદ્રી 33 વિકેટ સાથે ત્રીજા સ્થાન પર છે.

તેમ છતાં ભુવનેશ્વર કુમાર મેચમાં વધુ વિકેટ લેવામાં સફળ રહ્યો ન હતો, પરંતુ તેણે ખૂબ જ ચુસ્ત બોલિંગ કરી હતી. ભુવનેશ્વર કુમારે 3 ઓવરના સ્પેલમાં 16 રન આપીને એક વિકેટ લીધી હતી.

તેમ છતાં આયર્લેન્ડના બેટ્સમેનોએ ભારતના બાકીના બોલરોને નિશાન બનાવવામાં કોઈ કસર છોડી નહોતી. વરસાદથી પ્રભાવિત મેચમાં આયર્લેન્ડે ટીમ ઈન્ડિયા સામે 12 ઓવરમાં 109 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આયર્લેન્ડ તરફથી હેરીએ 64 રનની અણનમ ઇનિંગ રમી હતી.

ટીમ ઈન્ડિયાએ પોતાના બેટ્સમેનોના શ્રેષ્ઠ પ્રદર્શન દ્વારા આ મુશ્કેલ ટાર્ગેટને ખૂબ જ સરળતાથી પ્રાપ્ત કરી લીધો હતો. દીપક હુડ્ડાએ 29 બોલમાં 47 રનની ઈનિંગ રમીને ટીમ ઈન્ડિયાને શાનદાર શરૂઆત અપાવી હતી. કેપ્ટન હાર્દિક પંડ્યાએ 12 બોલમાં 24 રનની ઇનિંગ રમીને યોગ્ય પ્રયાસ કર્યો હતો. જ્યારે ભારતે 109 રનનો ટાર્ગેટ 9.2 ઓવરમાં જ પ્રાપ્ત કરી લીધો હતો.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago