બોલિવૂડ

‘મહાભારત’ ના ભીમનું નિધન, બીમારી અને આર્થિક તંગીથી હેરાન હતા

'મહાભારત' ના ભીમનું નિધન, બીમારી અને આર્થિક તંગીથી હેરાન હતા

બોલીવુડ થી વધુ એક દુઃખદાયક સમાચાર સામે આવ્યા છે. બીઆર ચોપરાની મહાભારતમાં ભીમ નું પાત્ર ભજવનાર અભિનેતા પ્રવીણ કુમાર સોબતીનું 74 વર્ષની વયે અવસાન થઈ ગયું છે. તેની સાથે કહેવામાં આવી રહ્યું છે કે, પ્રવીણ કુમાર સોબતી ઘણા સમયથી બીમારી અને આર્થિક સંકટનો સામનો કરી રહ્યા હતા. તેમણે ખેલાડી તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

પ્રવીણ કુમાર સોબતીની વાત કરવામાં આવે તો તેમને ખેલાડી તરીકે કારકિર્દી શરૂ કર્યા બાદ બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેમને બોલીવુડની અનેક ફિલ્મોમાં વિલનનુ પાત્ર ભજવ્યું હતું પરંતુ બી આર ચોપરાની ‘મહાભારત’ ના તેમના ભીમના પાત્ર દ્વારા તેમને યોગ્ય ઓળખ મળી હતી. તેમને ભીમના પાત્રથી દ્વારા ઘરમાં ઘરમાં ઓળખ બનાવી હતી.

આ સિવાય તેમને અભિનય કારકિર્દી દરમિયાન અમિતાભ બચ્ચન, જિતેન્દ્ર જેવા સુપરસ્ટાર સાથે પણ કામ કર્યું હતું. તેમણે પોતાના ફિલ્મી કારકિર્દીની શરૂઆત 1981 માં ફિલ્મ ‘રક્ષા’ થી કરી હતી. તેમાં પણ તેજ વર્ષે આવેલી ‘મેરી આવાઝ સુનો’ માં પણ પ્રવીણ કુમાર સોબતી મહત્વના પાત્રમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મોમાં તેમને જીતેન્દ્ર સાથે કામ કરેલું હતું. જ્યારે તે અમિતાભ બચ્ચનની સુપરહિટ ફિલ્મ ‘શહેનશાહ’ માં પણ દેખાયા હતા.

જ્યારે પ્રવીણ કુમાર સોબતી અભિનેતાની સાથે ડિસ્કસ થ્રો એથ્લીટ પણ રહેલા હતા. તેમને એશિયન ગેમ્સમાં ચાર વખત મેડલ જીત્યું હતું. જેમાં 2 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝનો સમાવેશ થાય છે. તેના સિવાય ઓલિમ્પિક ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જેમાં 1968 માં મેક્સિકો ગેમ્સ અને 1972 માં મ્યુનિક ગેમ્સનો સમાવેશ થાય છે પ્રવીણ કુમાર સોબતીને અર્જુન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago