Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
જાણવા જેવુંજ્યોતિષધાર્મિક

ઘરમાં બાલ કૃષ્ણ કે ભગવાનની મૂર્તિ સ્થાપિત કરતાં પહેલા રાખો આ ખાસ ધ્યાન, નહીં તો થઈ શકે છે ફાયદા ને બદલે નુકશાન

ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણના બાળ રૂપ જેમને આપણે લાડુ ગોપાલ કે માધવથી આપણે જાણીએ છીએ.કાન્હાની ભક્તિ અને સેવા કરવી સોને ગમે છે. કેટલાક ભક્તો તેની ભક્તિમાં એ રીતે તલ્લીન થઇ જાય છે કે તે સંસારિક વસ્તુઓ થી વિભક્ત થઇ જાય છે.

પણ જ્યારે આપણે પોતાના ઘરે ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ સ્થાપિત કરી છીએ તો ત્યારે આપણે શુભ દિવસ અને મુહૂત જોઈને લાવી છીએ. અને લાવતા ની સાથે જ તેમના માટે પૂજા ઘરને ઉત્સવની જેમ શણગાર કરાવીએ છીએ.

બાળ ગોપાલ લાવતા પહેલા તેમના સ્વાગત માટે નાની પૂજા વિધિ કરાવવાની હોય છે. કારણ કે મોટેભાગે તેમ કરતાં નથી.સાથે લાકડાની વાંસળી પણ જરૂર લાવવી. આવું કરવાથી ભગવાન ભક્તોના પ્રેમ પ્રત્યે આકર્ષિત થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ ને ગાય અને વાછરડા થી ખુબજ લગાવ છે. તેથી જો શક્ય હોય તો પૂજા સ્થાન પર ગાય અને વાછડાની મૂર્તિ પણ જરૂર રાખવી.

ભગવાન શ્રી કૃષ્ણને મોર ખુબજ પ્રિય છે, જયારે પણ ભગવાન શ્રી કૃષ્ણ વાંસળી વગાડતા હતા એ સમયે મોર અને મોરની નૃત્ય કરતા હતા. મૂર્તિ સાથે મોર પંખ રાખવું તે ખુબજ શુભ માનવામાં આવે છે. તેનાથી ભગવાન શ્રી કૃષ્ણ ખુબજ પ્રસન્ન થઇ જાય છે.તેથી જો ઘરમાં ભગવાન શ્રી કૃષ્ણ ની મૂર્તિ સ્થાપિત કરી રહ્યા છો તો આટલી વાતો ને જરૂર ધ્યાનમાં રાખવી જોઈએ.

લાડુ ગોપાલ માત્ર મૂર્તિ નથી,પરંતુ તેમના આવવાથી તે ઘરના સભ્ય છે.એવું પણ કહેવામાં આવે છે કે લાડુ ગોપાલ ઘરમાં પ્રવેશ કરે છે.આ જ કારણ છે કે તેઓને પરિવારના સભ્યોની જેમ વર્તવું જોઈએ. જેમ પરિવારના સભ્યો સવારે, બપોરે અને પછી રાત્રે નાસ્તો કરે છે, તે જ રીતે ભગવાનને સમયાંતરે નાસ્તો અને ભોજન પીરસવું જોઈએ.

લાડુ ગોપાલને રોજ સ્નાન કરાવો. તેમને સ્વચ્છ પહેરો. સ્નાન કરતી વખતે ગરમ કે ઠંડા પાણીની વ્યવસ્થા કરવાની ખાતરી કરો. જેમ જેમ શિયાળા દરમિયાન કુટુંબના સભ્યો હૂંફાળા પાણીથી સ્નાન કરે છે. તેવી જ વ્યવસ્થા લાડુ ગોપાલ માટે કરવી જોઈએ. હવામાન પ્રમાણે લડ્ડુને વસ્ત્ર પહેરાવવા.ઘરમાં કોઈ ખાણી-પીણીની ચીજવસ્તુ આવે તો પહેલા બાલ ગોપાલને આપવી. છે, તો તેમાંથી અર્પણ કરો.

[quads id=1]

Related Articles

Back to top button