સમાચાર

યુક્રેન પર હુમલો તો કરી દીધો પરંતુ યુદ્ધમાં ભાગ કેમ નથી લઈ રહી રશિયાની એરફોર્સ, જાણો શું કહે છે નિષ્ણાતો

યુક્રેન પર હુમલો તો કરી દીધો પરંતુ યુદ્ધમાં ભાગ કેમ નથી લઈ રહી રશિયાની એરફોર્સ, જાણો શું કહે છે નિષ્ણાતો

Ukraine-Russia War: રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને 7 દિવસ વીતી ગયા છે અને હજુ પણ યુદ્ધ ચાલુ છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વારંવાર કહેતા આવ્યા છે કે અમે રશિયાને શરણે નહીં જઈએ. યુદ્ધ જલ્દી સમાપ્ત થવાની હજુ પણ કોઈ આશા જણાઈ રહી નથી કારણ કે યુક્રેન પણ તેની તમામ શક્તિ સાથે લડી રહ્યું છે. ત્યારે હાલમાં રુસ અને યુક્રેન યુદ્ધ અંગે નિષ્ણાતોના પણ અલગ-અલગ મંતવ્યો સામે આવી રહ્યા છે. રુસ-યુક્રેન યુદ્ધ દરમિયાન, રશિયન તરફથી હવામાં વધુ હલચલ જોવા મળી રહી નથી. નિષ્ણાતોનું માનવું છે કે તેનું કારણ એ છે કે રશિયા ઇચ્છે છે કે યુક્રેનના નાગરિકો ત્યાંથી નીકળી જાય અને તેમને નુકસાન ન થાય.

રિપોર્ટ અનુસાર, મેજર જનરલ અશોક કુમાર (નિવૃત્ત) નું માનવું છે કે, “રશિયા તેની સંપૂર્ણ શક્તિથી હુમલો કરી રહ્યું નથી કારણ કે તે નાગરિકોની જાનહાનિ વિશે ચિંતિત છે. આ કારણોસર તેની પ્રારંભિક પ્રગતિ ઝડપી ન હતી. રશિયા પાસે જે પ્રકારની ફાયરપાવર છે તે યુક્રેનને મોટી અસર કરી શકે છે. પરંતુ જ્યાં સુધી રશિયાનો સવાલ છે, તેમનું ધ્યાન સ્થાનિક વસ્તી ને નુકસાન પહોંચાડવા તરફ ન હતું, પરંતુ રશિયા સમર્થક ત્યાંની સત્તા બદલવા માંગતા હતા. કારણ કે યુક્રેનના યુરોપિયન યુનિયનમાં જોડાવાથી રશિયા પર સુરક્ષાની દર્ષ્ટિથી ગંભીર અસર પડશે.

આર્મી ના પૂર્વ અધિકારી મેજર સમર તૂર માને છે કે, તે લોકોને જવા માટે સમય આપી રહ્યા છે, જનતા નાકાબંધી કરી રહી હતી. એકવાર ગ્રાઉન્ડ એટેક માટે તૈયાર થઈ જાય પછી યુક્રેનિયન સેના પણ જવાબ આપવા માટે તૈયાર રહેશે.

બીજી બાજુ, ભારતીય સેનાના પૂર્વ અધિકારી લેફ્ટનન્ટ જનરલ રાકેશ શર્મા (નિવૃત્ત) માને છે કે, “આ સમયે પશ્ચિમી ક્ષેત્રમાં સંઘર્ષનો વિસ્તાર કરવા માટે રશિયન સશસ્ત્ર દળોમાં ક્ષમતાનો અભાવ છે. ચોક્કસ ટાર્ગેટીંગ અને નાઇટ ફાયરીંગમાં ખામીઓ જોવા મળી છે. એક રાજકીય રમતનો અંત પણ છે જે ઉત્તરમાં નીપર નદી પર ટકી રહેલ છે અને તેમાં દક્ષિણમાં ત્રણ બંદરો શામેલ છે.

યુક્રેનના રક્ષા મંત્રીએ રશિયાને થયેલા નુકસાન અંગે એક ફોટો શેર કરતા ટ્વીટ કરીને લખ્યું કે, આ માત્ર એક સૂચક અંદાજ છે. પરંતુ તે કબજેદારની સ્થિતિ સારી રીતે દર્શાવે છે. દુશ્મનનું મનોબળ તૂટી ગયું છે, તે તડપી રહ્યું છે. કબજે કરનારા નાગરિકો પર ગોળીબાર કરી રહ્યા છે, કારણ કે શસ્ત્રોવાળા યુક્રેનિયનો રશિયા માટે ખૂબ મજબૂત છે. યુક્રેન જીતશે.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago