વાયરલ સમાચાર

આનંદ મહિન્દ્રાએ પોતાની હરાજી માટે લગાવી બોલી, કહ્યું- પૌત્ર સાથે આ રમતમાં લેશે ભાગ

આનંદ મહિન્દ્રાએ પોતાની હરાજી માટે લગાવી બોલી, કહ્યું- પૌત્ર સાથે આ રમતમાં લેશે ભાગ

આનંદ મહિન્દ્રા (Anand Mahindra) સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે અને લોકો સાથે ફની (મજેદાર) અને પ્રેરણાદાયી વીડિયો શેર કરતા રહે છે. પરંતુ, આ વખતે તેને એક અલગ જ પોસ્ટ શેર કરી છે. જેમાં તેને તેના ચાર વર્ષના પૌત્ર સાથે વિતાવેલા સમયનો રમુજી અનુભવ શેર કર્યો છે. ટ્વિટર પર આનંદ મહિન્દ્રા ઘણીવાર રસપ્રદ ટ્વિટ્સ શેર કરે છે, જેના પર લોકોની ટિપ્પણીઓનો વરસાદ થઇ જાય છે. પરંતુ, આ વખતે ટ્વીટ તેના પૌત્ર વિશે કર્યું છે. મહિન્દ્રાએ આ પહેલા તેમના પૌત્ર સાથે સમય પસાર કર્યા પછી પિલો ફાઈટ ચેમ્પિયનશિપમાં પ્રવેશવા માટે તૈયાર થવા વિશે પોસ્ટ કર્યું હતું. આ પૂછવા પર કે શું તે 4 વર્ષની વયના પર જીતી ગયો, મહિન્દ્રાએ એક રમુજી કારણ શેર કર્યું કે તેને આવું શા માટે ન કર્યું.

જુઓ Video:

મહિન્દ્રાએ પિલો ફાઈટ લીગમાં એક મેચનું પરફોર્મ કરતા તેને એક વીડિયો શેર કર્યો અને લખ્યું, “ના, એક બીજી સ્પોર્ટ્સ લીગ શરૂ નથી કરી રહ્યો. (પ્રો કબડ્ડી લીગની શરૂઆત ખૂબ જ સંતોષકારક રહી) પરંતુ હું આ લીગ માટે એક સ્ટાર ખિલાડી તરીકે પોતાને હરાજી તરીકે રજુ કરી રહ્યો છું. મારા 4-વર્ષના પૌત્ર સાથે રજાઓ પસાર કર્યા બાદ, મને લાગે છે ફિટ, પ્રશિક્ષિત અને લડવા માટે તૈયાર છું! શરૂઆતની બોલી: ₹50,000.

પિલો ફાઈટ ચેમ્પિયનશિપનું પહેલું લાઈવ ઈવેન્ટ ગયા વર્ષે જાન્યુઆરીમાં ફ્લોરિડામાં થઈ હતી. બે ટાઇટલ માટે લડવા માટે આ સ્પર્ધામાં 6 પુરૂષો અને 8 મહિલાઓએ ભાગ લીધો હતો. મહિન્દ્રાની પોસ્ટનો જવાબ આપતા, એક ટ્વિટર યુઝરે તેમને પૂછ્યું, “શું તમે પૌત્ર સાથે જીતી ગયા?” આના જવાબમાં બિઝનેસ ટાઈકૂને મેચનું પરિણામ શેર કર્યું છે.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago