સમાચાર

કોરોના એ ભરખ્યો 30 વર્ષ ના યુવાન ને, 3 વર્ષની માસૂમ દીકરી થઈ ગઈ નિરાધાર, માતા પણ હતી કોરોના પોઝિટિવ

ગુજરાત સહિત ઘણી જગ્યાએ કોરોના એ ફરી એકવાર તેનો કહેર ફેલાવ્યો છે. જેના લીધે ઘણા લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા છે. આવામાં અમદાવાદ શહેરના લોકો પર પોઝિટિવ આવી રહ્યા છે. આજ ક્રમમાં એક 30 વર્ષીય યુવાનનું કોરોનાને લીધે મોત થયું છે.

પ્રાપ્ત થયેલી જાણકારી અનુસાર છેલ્લા ત્રીસ વર્ષથી રીશીત ભાવસાર અહીં તેમના પરિવાર સાથે રહે છે. તેમને ગત શનિવારે તાવ અને શરદીની અસર થતાં તેઓ ઈસનપુર ડોમ ખાતે કોરોના ટેસ્ટ કરાવવા માટે ગયા હતા. જ્યાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

ત્યારબાદ રિપોર્ટ પોઝિટિવ આવવાને લીધે તેઓ જાતે જ હોમ કવોરન્ટાઇન થઈ ગયા હતા. જોકે બે દિવસ બાદ તેઓની તબિયત વધુ ખરાબ તથા તેઓને અમદાવાદની SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે ત્યાં બે દિવસ રોકાયા બાદ પણ તેઓની તબીયત ખરાબ રહેતા તેમને ICU માં દાખલ કરવામાં આવ્યા હતા.

જોકે આઇસીયુ માં દાખલ કર્યા પછી પણ તેમની તબિયત વધુ ખરાબ થઈ હોવાને લીધે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા અને તેમના પરિવારને જાણ કરવામાં આવી હતી. જોકે બુધવારના દિવસે તેમનું નિધન થયું હતું.

જોકે હાલમાં તેમના મૃત્યુ બાદ પરિવારમાં દુઃખનો માહોલ ફેલાઈ ગયો છે. હાલમાં તેમની 3 વર્ષીય દીકરી પરથી પિતાની છત્રછાયા ચાલી ગઈ છે. તમને જણાવી દઈએ કે તેમની 60 વર્ષીય માતા પણ કોરોના પોઝિટિવ આવી હતી અને તેઓ પણ હોમ કવોરન્ટાઈન થઈ હતી.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago