મનોરંજન

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની નવી તારીખ જાહેર! ફેમેલીએ નક્કી કરી તારીખ

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના ડેટિંગના સમાચાર જ્યારથી સામે આવ્યા છે ત્યારથી ચાહકો બંનેના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ કપલના લગ્નની ઘણી અફવાઓ ઘણા સમયથી ઈન્ટરનેટ પર ઉડી રહી છે. તેમ છતાં એવું લાગે છે કે, કપલ દ્વારા હજુ તારીખ ફાઇનલ કરવાનું બાકી છે. અગાઉ આવેલ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રણબીર અને આલિયા આ વર્ષે એપ્રિલમાં લગ્ન કરવાના હતા. પરંતુ હવે એવા અહેવાલો આવી રહ્યા છે કે, બંને કપલ ઓક્ટોબર 2022 માં લગ્ન કરવા માટે તૈયાર છે.

નોંધનીય છે કે, આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના પરિવારો ગયા વર્ષે બંનેના લગ્ન કરવા માટે તૈયાર હતા. પરંતુ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થવાને કારણે લગ્નને મોકૂફ રાખવામાં આવ્યા હતા. ત્યાર બાદ દાવો કરવામાં આવી રહ્યો હતો કે, બંનેના લગ્ન આ વર્ષે એપ્રિલમાં થવા જઈ રહ્યા છે. તેમ છતાં આ સમાચાર ખોટા સાબિત થઈ રહ્યા છે કેમકે કે બંને પક્ષો તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, બંને સ્ટાર્સના પરિવારજનોએ સાથે મળીને નિર્ણય લીધો છે કે, આલિયા અને રણબીર કપૂર આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી લેશે. તેની સાથે ભટ્ટ અને કપૂર પરિવારે બંનેના લગ્ન માટે ઓક્ટોબર મહિનો નક્કી કર્યો છે.

જ્યારે આલિયા હાલમાં તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ની સક્સેસને એન્જોય કરી રહી છે. જ્યારે રણબીર પોતાની અને આલિયાની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ ની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં આ બંનેની જોડી પ્રથમ વખત સાથે કામ કરતી જોવા મળશે. તેનું નિર્દેશન અયાન મુખર્જી કરી રહ્યા છે. આ ફિલ્મ સિવાય આલિયા ભટ્ટ એસએસ રાજામૌલીની ફિલ્મ ‘RRR’ અને કરણ જોહરની ફિલ્મ ‘તખ્ત’, ‘રોકી અને રાનીની પ્રેમ કહાની’ અને ‘ડાર્લિંગ’માં જોવા મળશે.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago