રાજકારણ

આમ આદમી પાર્ટી એવી વ્યવસ્થા લાગુ કરીને રહેશે જેમાં ખેડૂત ઉધયોગપતિ બની જાય: ઈસુદાન ગઢવી

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ વિડિઓ ના માધ્યમ થી ગુજરાત ની જનતા ને સંબોધતા કહ્યું કે, એક વાર એક ખેડૂતે આપઘાત કરીને તેની સુસાઈડ નોટ માં એવું લખેલું કે, ઈસુદાનભાઈ ખેડૂતોનું તમે ધ્યાન રાખજો! એ દિવસે મને ઊંઘ નહોતી આવી. મારી વિનંતી છે દરેક ખેડૂત થી કે કોઈને પણ આપઘાત કરવાની જરૂર નથી. મેં નક્કી કરેલું કે જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી હું ખેડૂતો માટે મારું બધું જ ન્યોછાવર કરી દઈશ અને એવી વ્યવસ્થા લાગુ કરીને રહીશ જેમાં ખેડૂત ઉધયોગપતિ બની જાય. મને ખેડૂતો ની બધી પીડા ખબર છે. બસ મારી એટલી વિનંતી છે કે તમે ભાજપ ના કે કોંગ્રેસના ખેડૂત બનીને ન રહેતા, ફક્ત ખેડૂત બનીને રહેજો, હું હંમેશા ખેડૂતો ની સાથે જ છું. જો આ ચૂંટણીમાં તમે આમ આદમી પાર્ટી ને જીતાડશો તો મારો વાયદો છે કે તમારી બધી જ સમસ્યાનો ઉકેલ આવી જશે. અને જો ચૂંટણી જીત્યા પછી 5 વર્ષ તમારા પ્રશ્નોનો ઉકેલ ના આવે તો બીજી વખત તમે અમને મત આપતા જ નહિ.

મને જાણીને ખૂબ જ દુઃખ થયું કે સુરત માં એક માસૂમ બાળક સાથે શાળાના આચાર્ય દ્વારા જ યૌન શોષણ આચરવામાં આવ્યું હતું. બોલતા બોલતા મારુ લોહી ઉકળી રહ્યું છે કે, એ બાળક ભાગી રહ્યું છે, છતાંય એને પકડીને માર મારવામાં આવ્યો છે અને યૌન શોષણ આચરવામાં આવ્યું છે. જેને જેને ભાજપ ને મત આપ્યો છે, તમે અને હું બધા જ આમાં પાપના ભાગીદાર છે. અને અત્યારે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ને હું પ્રાયશ્ચિત કરી રહ્યો છું. 3 મહિના સુધી એ ગરીબ બાળક ના વાલી એ ભાજપ ના દરેક નેતાઓને વિડિઓ બતાવીને ન્યાય માગ્યો હતો. પુરાવા હોવા છતાંય ભાજપના એક પણ નેતા એ કંઈ પગલાં ભર્યા નહિ જાણે દુર્વ્યવહાર આચરવું નહિ પણ ગરીબ હોવું ગુનો હોય.

પરંતુ જ્યારે આમ આદમી પાર્ટી ને આ વાત વિશે જાણ થઇ તો અમે તરત તે પરિવાર ને ન્યાય અપાવવા વિરોધ કર્યો અને સુરત ના પોલીસ કમિશ્નરને લેખિત માં આવેદન પત્ર આવી કાર્યવાહી કરવાની માંગ કરી, જેમાં હજી સુધી કોઈ જ પગલાં લેવાયા નથી. પરંતુ અહીંયા પ્રશ્ન એ છે કે સરકાર ને બધું જાણ હોવા છતાંય આમ આદમી પાર્ટી ને આવેદન પત્ર કેમ આપવા પડે? તે પરિવાર ગરીબ છે એટલે સારા શિક્ષણ ની આશા થી તે ભાજપ ની સરકારી શાળા માં ભણવા જાય છે પરંતુ ત્યાં એ બાળક સાથે આ દુરવ્યવહાર આચરવામાં આવે છે અને તેના વિરુદ્ધ કોઈ પગલાં પણ લેવાતા નથી તે જાણીને ખુબ જ પીડા થાય છે. ગુજરાતમાં અત્યારે આમ આદમી પાર્ટી ની સરકાર હોય તો તે યૌન શોષણ કરવા વાળા આચાર્ય ની જગ્યા એ પોતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હોય ને તો પણ તે અત્યારે જેલ માં જ હોત.

ઈસુદાન ગઢવી એ આગળ કહ્યું કે, આજે પંજાબ માં આમ આદમી પાર્ટી ની સરકાર આવી એટલે એમને જેટલા પણ પૂર્વ ધારાસભ્ય હતા એમનું પેન્શન બંધ કરી દેવામાં આવ્યું અને એ જેટલા પણ રૂપિયા બચશે એનાથી જનતા ને ફ્રી વીજળી આપવામાં આવશે. તો તમને કેવી સરકાર જોઈએ છે, જે પાર્ટી ના નેતાઓ ને સુવિધા આપે એવી કે જનતા ને સુવિધા આપે એવી?

આજે આમ આદમી પાર્ટી નું વર્ચસ્વ આખા દેશમાં એટલું વધી રહ્યું છે કે, પોતે વડાપ્રધાન એ રેવડી રેવડી કરીને કેજરીવાલજી પર કોમેન્ટ કરવી પડી રહી છે. હવે સમય આવી ગયો છે કે જનતા આ ભ્રષ્ટ ભાજપ ને જવાબ આપે. અત્યાર સુધી ભાજપ એ જેટલા પણ ભ્રષ્ટાચાર કર્યા છે, જનતા ના જેટલા પણ રૂપિયા લૂંટ્યા છે, એ બધું હવે જનતા જાણી ગઈ છે. ભાજપ વાળા ભલે મને ખરાબ કહે, કેજરીવાલજી ને ખરાબ કહે, ગોપાલ ઈટાલિયા ને ખરાબ કહે કે આખી આમ આદમી પાર્ટી ને ખરાબ કહે પરંતુ પ્રજા આ વખતે ભાજપ ના ભ્રમ માં આવી કોઈ ખોટી વાત માનવાની નથી. મારે ભાજપ ના ભ્રષ્ટાચારીઓને મારે એટલું જ કહેવું જ છે કે, જેવી આમ આદમી પાર્ટી ની સરકાર બને એવું જ ગુજરાત છોડી દેજો અથવા જનતા ની લૂંટેલી સંપત્તિ સરકારને પરત કરી દેજો અથવા જેલમાં જવાની તૈયારી રાખજો.

આમ આદમી પાર્ટી ગુજરાત

[quads id=1]

Related Articles

Back to top button