દેશ

‘CoWin’ પ્લેટફોર્મ પર રજીસ્ટ્રેશન માટે આધાર કાર્ડ ફરજિયાત નથી: કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને કહ્યું

'CoWin' પ્લેટફોર્મ પર રજીસ્ટ્રેશન માટે આધાર કાર્ડ ફરજિયાત નથી: કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને કહ્યું

કેન્દ્ર સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે કોવિડ-19 વિરોધી રસીકરણ માટે ‘CoWin’ પ્લેટફોર્મ પર નોંધણી કરવા માટે આધાર કાર્ડ ફરજિયાત નથી. ન્યાયમૂર્તિ (જસ્ટિસ) ડી.વાય. ચંદ્રચુડ અને ન્યાયમૂર્તિ (જસ્ટિસ) સૂર્યકાંતની એક પીઠને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કહ્યું કે રસીકરણ માટે પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ, વોટિંગ કાર્ડ, રેશન કાર્ડ સહિત નવ ઓળખ દસ્તાવેજોમાંથી એક જ હોવું ફરજિયાત છે. સર્વોચ્ચ અદાલતે આ નિવેદનની નોંધ લીધી અને સિદ્ધાર્થશંકર શર્માની અરજીનો નિકાલ કર્યો. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે ‘કોવિન’ પ્લેટફોર્મ પર કોવિડ-19 વિરોધી રસીકરણ માટે નોંધણી કરાવવા માટે આધાર કાર્ડને ફરજિયાતપણે આગ્રહ કરવામાં આવી રહ્યો છે.

સુપ્રીમ કોર્ટે આ અરજી અંગે 1 ઓક્ટોબર, 2021ના રોજ કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી હતી.

પીઠે કહ્યું, “1 ઓક્ટોબર, 2021ના આ કોર્ટના આદેશ અનુસાર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે એક સોગંદનામું દાખલ કર્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે ‘CoWin’ પ્લેટફોર્મ પર નોંધણી માટે આધાર કાર્ડ ફરજિયાત નથી અને નવ દસ્તાવેજો માંથી કોઈપણ એકનો આ માટે ઉપયોગ કરી શકાય છે. એફિડેવિટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે અન્ય કેટેગરીના લોકો માટે જોગવાઈ કરવામાં આવી છે, જેમની પાસે ઓળખ કાર્ડ ન હોય શકે જેમ કે જેલના કેદીઓ, માનસિક આરોગ્ય કેન્દ્રોના લોકો વગેરે.

કોર્ટે કહ્યું, “કેન્દ્રના વકીલે જણાવ્યું છે કે ઓળખ કાર્ડ વગરના લગભગ 87 લાખ લોકોને રસી આપી દેવામાં આવી છે. અરજદારની ફરિયાદ છે કે તેને આધાર કાર્ડ ન હોવાને કારણે તેમને રસીકરણ કરવાની ન પાડી દેવામાં આવી હતી, આ સમસ્યાનું પણ સમાધાન સોગંદનામામાં કરવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રાલયે મહારાષ્ટ્ર્રના અગ્ર સચિવ (આરોગ્ય) ને સંબંધિત ખાનગી રસીકરણ કેન્દ્ર સામે પગલાં લેવા માટે એક પત્ર મોકલવામાં આવ્યો છે, જેણે માન્ય પાસપોર્ટ ID હોવા છતાં અરજદારને રસી આપવાનો ઇનકાર કર્યો હતો. અરજદારની ફરિયાદનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે છે. તમામ સંબંધિત અધિકારીઓએ સરકારની નીતિ પ્રમાણે કામ કરે.

અરજીમાં ભારતના નાગરિકને આપવામાં આવેલા રસીકરણના અધિકારની સુરક્ષા માટે સમગ્ર દેશમાં પહેલેથી જ સૂચિત નિયમો/નીતિઓના અસરકારક અને બિન-ભેદભાવ કર્યા વગર લાગુ કરવા માટે વિનંતી કરવામાં આવી હતી.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago