દેશ

મુંબઈના કુર્લામાં 4 માળની ઈમારત ધરાશાયી, અનેક લોકો દટાયા

મુંબઈના કુર્લામાં 4 માળની ઈમારત ધરાશાયી, અનેક લોકો દટાયા

મુંબઈ કુર્લાના નાઈક નગરમાં 4 માળની ઈમારત ધરાશાયી થવાના સમાચાર સામે આવ્યા છે. ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ ઘટનાસ્થળે હાજર છે. હાલમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. BMCના જણાવ્યા અનુસાર કાટમાળ નીચેથી બહાર કાઢવામાં આવેલા 7 લોકોની હાલત સ્થિર છે, 20 થી 25 લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે.

ચીફ ફાયર ઓફિસર સંજય માંજરેકરે જણાવ્યું હતું કે લગભગ 12 વાગ્યે બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. માહિતી મળ્યા બાદ અમારા કેટલાક અધિકારીઓ સ્થળ પર આવ્યા અને તેઓએ 3 લોકોને બચાવ્યા. બચાવી લેવામાં આવેલા પૈકી 1 વ્યક્તિએ જણાવ્યું કે 25-30 લોકો ઈમારતમાં ફસાયેલા હોઈ શકે છે. સ્થાનિક લોકોએ તેમને કાટમાળ નીચે ફસાયેલા 20 થી 22 લોકો વિશે જાણ કરી જ્યારે ફાયર બ્રિગેડના કર્મચારીઓ ઘટનાની માહિતી મેળવ્યા બાદ સ્થળ પર પહોંચ્યા હતા.

ઘટનાસ્થળે પહોંચેલા BMC એડિશનલ કમિશનર અશ્વિની ભીડેએ જણાવ્યું હતું કે બિલ્ડિંગ જર્જરિત છે અને 2013 પહેલા રિપેરિંગ અને પછી તોડી પાડવા માટે નોટિસ આપવામાં આવી હતી.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago