Categories: સમાચાર

પૂરમાં ફસાયેલ લોકોને બચાવવા જતાં ગૃહમંત્રી પોતે જ ફસાઈ ગયા, હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યૂ કરી બહાર કાઢ્યા જુઓ આ વિડીયો.

મધ્યપ્રદેશના ગૃહ મંત્રી ડૉ. નરોત્તમ મિશ્રાએ પોતાના જીવની ચિંતા કર્યા વિના પૂરમાં ફસાયેલ 9 લોકોને બચાવવાની કોશિશ કરી. તે સમય દરમ્યાન તેઓ પોતે જીવના જોખમમાં મુકાઇ ગયા, એવામાં રેસ્ક્યૂ ઓપરેશનની મદદથી તેમણે બચાવી લીધા. મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશના દતિયા જિલ્લાના એક ગામમાં પૂર આવ્યું હતું. પૂરમાં અમુક લોકો ત્યાં જ ફસાઈ ગયા હતા, જેવી આ માહિતી ગૃહ મંત્રી ડો નરોત્તમ મિશ્રા મળી કે તેઓ લોકોને બચાવવા માટે નીકળી પડ્યા.

ડો. નરોત્તમ મિશ્રા એનડીઆરએફ ટીમ સાથે હોડીમાં બેસી પુરગ્રસ્ત ગામ કોતરામાં પહઉછી ગયા હતા. તેઓ પોતાની સાથે ફૂડ પેકેટ અને દવા પણ લઈને આવ્યા હતા. ફૂડ પેકેટ અને દવા આપવાની પ્રકિયા દરમ્યાન કોતરા ગામમાં પંચાયત ભવન પાસે 4 મહિલાની સાથે 5 પુરુષ આમ કુલ 9 લોકો ફસાયા હતા.

પંચાયત ભવન પહોંચતા તો ડો. નરોત્તમ મિશ્રાને કોઈ મુશ્કેલી ન આવી, પરંતુ જ્યારે તે પાછા આવતા હતા ત્યારે તેઓ પોતે જ  પૂરમાં ફસાઈ ગયા. હકીકતમાં આ જગ્યાએ તેઓ હોડીની મદદથી પહોંચી ગયા, અને ત્યાં તેમણે ફૂડ પેકેટ અને દવા આપી સાથે લોકોને ત્યાંથી બહાર કાઢવાની કોશિશ પણ કરી. પરંતુ જોત જોતામાં અહી પુરનું પાણી ભરાઇ ગયું અને હોડીને ત્યાંથી બહાર કાઢવાનું મુશ્કેલ હતું.

ડો. નરોત્તમ મિશ્રાની સાથે અન્ય 9 લોકો ઘણા સમય સુધી ફસાઈ રહ્યા. જ્યારે આ સૂચના ભારતીય વાયુસેનાની ટીમને આપી ત્યાર પછી વાયુસેના નરોત્તમ મિશ્રાને બચાવવા માટે આવી ગઈ હતી. નરોત્તમ મિશ્રા અને અન્ય લોકોને હેલિકોપ્ટરની મદદથી તે સ્થળેથી બહાર કાઢ્યા.

જ્યારે ડો. નરોત્તમ મિશ્રાને બચાવવા માટે હેલિકોપ્ટર આવ્યું ત્યારે તેમણે પહેલા ગામના લોકોને બહાર કાઢવાનું કહ્યું અને પંચાયત ભવનમાં ફસાયેલ 9 લોકોને હેલિકોપ્ટરની મદદથી બહાર કાઢ્યા. ત્યાર પછી નરોત્તમ મિશ્રાને બહાર કાઢ્યા. પોતાનો જીવ જોખમમાં હોવા છતાં ગૃહ મંત્રીએ પહેલા ગામના લોકોને સહી સલામત બહાર કઢાવ્યા અને પછી અંતે તેઓ પૂર ગ્રસ્ત વિસ્તારમાંથી બહાર આવ્યા. ત્યારે ત્યાં ફસાયેલ લોકોએ ડો. નરોત્તમ મિશ્રાનો આભાર વ્યક્ત કર્યો.

નોંધપાત્ર વરસાદને કારણે દેશના કેટલાય વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે અને ઘણા ગામો પૂરની ઝપેટમાં આવી ગયા છે. હિમાચલ પરદેશથી લઈ મહારાષ્ટ્ર સુધી, ઘણી જગ્યાએ વરસાદ પડવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago