ગુજરાત

અમદાવાદ શહેરમાં થયેલ બ્લાસ્ટ કેસમાં ૩૮ આરોપીને ફાંસી સજા

અમદાવાદ શહેરમાં થયેલ બ્લાસ્ટ કેસમાં ૩૮ આરોપીને ફાંસી સજા

અમદાવાદ શહેરમાં 26 જુલાઈ 2008 ના રોજ થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસને ૧૪ વર્ષ બાદ ઐતિહાસિક ચુકાદો આવ્યો છે. તેમાં કોર્ટ દ્વારા 49 આરોપીને સજાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 2008 અમદાવાદ બ્લાસ્ટ કેસમાં આરોપીઓને સજામાં UAPA ની કલમ 20 હેઠળ 38 આરોપીને સજા ફટકારવામાં આવી છે. આ સજા મુજબ ૩૮ આરોપીઓને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. જેમાં 11 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.

નોંધનીય છે કે, ગત 08 ફેબ્રુઆરીના સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસનો ચુકાદો આપવામાં આવ્યો હતો. જેમાં દેશના ઈતિહાસમાં પ્રથમ વખત 49 આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. એવામાં આ દોષિતોને લઈને સજા ફટકારવામાં આવી છે.

તેની સાથે કેસમાં કોર્ટ દ્વારા કુલ 78 માંથી 49 આરોપીઓને UAPA હેઠળ દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. દેશના ઈતિહાસમાં પ્રથમ વખત UAPA હેઠળ 49 આરોપીને દોષિત જાહેર કરાયા હતા. જેમાં 49 માંથી 1 દોષિત અયાઝ સૈયદને તપાસમાં મદદ કરી હોવાના કારણે તેને સજા ફટકારવામાં આવી નથી. જ્યારે બાકીના 29 આરોપીઓને કોર્ટે શંકાના આધારે નિર્દોષ જાહેર કરવામાં આવેલ છે. જયારે દોષિત આરોપીઓમાંથી 32 આરોપી હાલ સાબરમતી સેન્ટ્રલ જેલમાં રહેલા છે.
Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago